________________
૫૮૪]
[ આપણું શ્રેષ્ઠીવર્યો અને વિદ્વાનોને મળ્યા. તેમણે હૃદયપૂર્વક ગરીબ અને પીડિતને શારીરિક, માનસિક અને દૃષ્ટિની બાબતમાં વિકલાંગોને અનાથ, ત્રણ અને ત્રસ્ત માનવીઓને મદદ પૂરી પાડવાના ઉમદા અને પરોપકારી કાર્યમાં ઝંપલાવ્યું. વિશાળ હૃદયવાળા શ્રી મહેતાએ ઉદારતાપૂર્વક અને સહેજ પણ ખચકાટ વિને ઘણી બધી યેગ્ય સંસ્થાઓમાં જ્ઞાતિ, જાતિ, ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વિના દાનસખાવતે આપ્યાં.
તેમણે દવાદારૂ કરાવવા પછાત વિસ્તારમાંથી મુંબઈ આવતા ગરીબ દર્દીઓ અને તેમનાં સગાં-સંબંધીઓના કડી પરિસ્થિતિ વિષે પણ વિચાર કર્યો. આવા લકો સામાન્ય રીતે શેરીઓની ફૂટપાથ પર અને ઘણીવાર રસ્તા પર પણ પડ્યા રહે છે અને અત્યંત ગંદા અને અમાનવીય વાતાવરણમાં રહે છે. આવા લોકોની કંગાળ સ્થિતિથી દ્રવી ઊઠીને શ્રી મહેતાએ તેમની જરૂરિયાત પૂરી પાડવા આરેગ્યભવને કે સારવારકેન્દ્રો બાંધવાનો નિર્ણય કર્યો. તેમણે ભાયખલ્લાની જે. જે. હોસ્પિટલમાં આવું કેન્દ્ર બંધાવ્યું છે. બીજુ એક વધારે વિશાળ સારવારકેન્દ્ર હાલમાં નાયગાંવ દાદર, મુંબઈ ખાતે બંધાઈ રહ્યું છે.
શ્રી મહેતા જે કાંઈ દાન–સખાવત કરે છે તે રકમ તેમણે તેમનાં સ્વર્ગસ્થ માતુશ્રી દિવાળીબેનની સ્મૃતિરૂપે રચેલા ટ્રસ્ટમાંથી અને તેમના હીરાના ધંધાની પેઢીઓ યમ પ. વ. બ. અ. એન્ટવર્પ અને પારસ ડામન્ડ કોર્પોરેશન, ન્યૂયોર્કમાંથી આપવામાં આવે છે. જય મ પ. વ. બ. અ. છેલ્લાં કેટલાંક વર્ષોથી શ્રી ગેજ (Gadge) મહારાજ મિશન, મુંબઈને વિપુલ પ્રમાણમાં ખોરાકમાં પેકેટ્સ, કપડાં, ધાબળા, દવાઓ અને દવાખાનાનાં સાધન વગેરે ભારતનાં દલિત-પીડિતો અને ભૂખ્યાઓને વિનામૂલ્ય વહેંચવા માટે મેકલાવે છે.
શ્રી મહેતાએ કરેલા દાનધર્મની રકમ એક અબજ જેટલી થવા જાય છે અને તેના મુખ્ય પરિપાક રૂપે મેટાં દવાખાનાઓ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org