SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦ ] { આપણા શ્રેષ્ઠીવર્યો મને ડિસેમ્બર ૧૯૮૭માં મળ્યા હતા. આજે ત્રણેક વર્ષ બાદ પ્રસિદ્ધ થાય છે ત્યારે વિગતોમાં ક્યાંક પરિવર્તન થયું હોય તે શક્ય છે.] ડો. નટવરલાલ મોહનલાલ ગાંધી જન્મ તારીખ : ૪–૧૦–૧૯૪૦ અભ્યાસ : બી.કેમ, એલએલ.બી., પીએચ.ડી. સૌરાષ્ટ્રમાં આવેલ સાવરકુંડલાના વતની નટવરલાલભાઈ એ મેટ્રિક થયા પછી ૧૯રથી મુંબઈની મુળજી જેઠા મારકેટમાં ગુમાસ્તા તરીકે જીવનની શરૂઆત કરી. હાલ અમેરિકાની જનરલ એકાઉન્ટ્સ ઓફિસમાં કરવેરાને લગતી નીતિના અધિકારી તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવે છે. આ એકિસ અમેરિકન કેંગ્રેસ ઉપર ગીધનજર રાખવાવાળી એજન્સી છે. ડે. ગાંધી કરવેરાને લગતી સમિતિએને માર્ગદર્શન આપવાની કામગીરી સાથે સંકળાયેલ છે. છે. ગાંધીની ઉચ્ચ કેન્ટિની કામગીરીથી અનેક અધિકારીઓ પ્રભાવિત થયા છે. અમેરિકન અખબારોએ પણ તેમની સફળ કામગીરીનાં ભારેભાર વખાણ કર્યા છે. કરવેરા અંગે સલાહ-સૂચને તથા ભલામણ કરવા તેમણે અમેરિકન સેનેટની નાણાકીય સમિતિ સમક્ષ અનેકવાર જુબાની આપી છે. ડો. ગાંધી કહે છે: “મારે માટે આ ધન્ય થવાના પ્રસંગ છે”. નટવરલાલભાઈને જીવનમાં સફળતા મળી તેનાં કારણે . અવર્ણનીય પ્રેમ અને મમતા મળ્યાં તેમને ગણવે છે. મિત્રોએ વણમાગી મદદ કરી તેથી જીવનમાં જે કાંઈ સફળતા મળી તે શક્ય બની. પ્રગતિ સાધવા માટે મહત્વાકાંક્ષા, પરિશ્રમ અને સદ્ભાગ્યને તેઓ આવશ્યક પરિબળ તરીકે માને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy