________________
પ૭૬ ]
[ આપણાં શ્રેષ્ઠીવર્યો બક્ષિસ બનેલી ધર્મારાધના કરવાની તેમની કળા, નિર્મળ, પરગજુ, કરુણામય, ધર્મશીલ અને પ્રમાદરહિત તેમનું જીવન સેવા અને સાત્વિકતાની તેમની મૂડી–આવી બધી બહુમુખી પ્રતિભાને લીધે તેઓ અધિકાધિક શ્રીવૃદ્ધિમાં સફળ થતા રહ્યા છે.
જીવનમાં સ્વબળે અને અવિરત પરિશ્રમે આગળ વધ્યા, પુત્રપરિવારને ઉચ્ચ શિક્ષણની સાથે ધર્મસંસ્કાર પણ આપ્યા.
કમે ક્રમે પિતાની શક્તિ, ગુણ-સંપત્તિ અને સેવાવૃત્તિને તેમણે પિતાની આત્મશુદ્ધિ તરફ વાળીને ધર્મસાધનામાં ખરેખર ઘણું ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સુરેન્દ્રનગરની આ. ક. પેઢીને સુગ્ય રાહબર તરીકે તેમની સેવાઓ અને તેમની બાહોશી ખરેખર શાસનદાઝની પ્રશસ્તિ બની રહે તેમ છે.
વૈર્ય, હિંમત અને અરિહંત પરમાત્મામાં અવિચળ શ્રદ્ધા રાખી જેમનું જેટલું બન્યું એટલું ભલું કર્યું, અને આ જ એમને જીવનની પારાશીશી છે.
ધર્મસંસ્થાઓનું નેતૃત્વ સંભાળવું સહેલું નથી. સતત પરિશ્રમ અને અપૂર્વ સહનશીલતા હોય તે જ ત્યાં ભાગ્યશાળી બની શકાય. તેમનાં વાણી અને વ્યવહાર હિમેશાં પ્રસન્નમધુર જેયાં. વિચારો વ્યક્ત કરવાની તેમની અનેખી આવડત, સ્મરણશક્તિ વગેરે ખરેખર અદ્ભુત છે. આમલક્ષી એવા આ ધર્મપુરુષની કલમમાંથી ઘણી વખત કલામંડિત સાહિત્ય પણ સર્જાયું હશે તેમ લાગે છે.
આત્માની વિમળતાને વધારે અને કર્મો–કક્ષાના મળને ઘટાડે એવા ધર્મગના આ જાગૃત સાધકને જૈન ધર્મના વિવિધ રહસ્યમય વિષય ઉપરનું ઊંડું અને તલસ્પર્શી જ્ઞાન હોવાને કારણે આપણા સૌની વંદનાના અધિકારી બને છે.
તેમના અનેક ગુણોનો, સાચી ધાર્મિકતાને અને સારી માણસાઈને વધુ ને વધુ વિકાસ થતો રહ્યો તેના મૂળમાં શાસનના શ્રમણ ભગવંતની તેમના ઉપર અપાર કૃપા વરસતી રહી છે. તેમની સાદાઈ નિયમિતતા, સંયમ–શીલતા અને ખાનપાનની સાચવણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org