SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [૫૭૫ બે સ્કેલ પણ આપેલ છે. ગરીબને ગુપ્ત રીતે સહાય, કેળવણી માટે મદદ અને બીજી અનેક સામાજિક સેવાઓમાં તન, મન અને ધનથી ઓતપ્રોત થયા છે. સંસ્થા તરફથી દર વર્ષે ડાયરી-પંચાંગ પ્રકાશિત થાય છે. તેને સંપૂર્ણ ખર્ચ સ્વ. શ્રી બળવંતરાય તલકચંદ પરિવાર તરફથી મળે છે સ્વ. બળવંતરાયનાં ધર્મપત્ની શ્રી રમીલાબહેન પણ સંસ્થાની પ્રવૃત્તિમાં સક્રિય રસ લઈ દરેક કાર્યમાં સુંદર સહકાર આપે છે. તેમનું વિવિધ માર્ગદર્શન અમને હંમેશાં ઉપયોગી બની રહ્યું છે. સ્વ. શ્રી બળવંતભાઈની હયાતી બાદ તેઓએ ઓફિસ અને ધંધાનું ક્ષેત્ર સારી રીતે પોતે સંભાળી લઈને કુશળતાથી સંચાલન કર્યું હતું. અનાસકત કામગી શ્રેણીરત્નશ્રી બાપાલાલ મનસુખલાલ નિષ્કામ કર્મવેગને નાની ઉંમરથી રાહ લેનાર શેઠશ્રી બાપાલાલભાઈ સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના જૈન સમાજનું ખરેખર ગૌરવશાળી રત્ન છે. જિન શાસન અને દેવ-ગુરુ ઉપર અનન્ય શ્રદ્ધા-ભક્તિભાવ ધરાવતા ધર્મપરાયણ પરિવારમાં જન્મ થવાને કારણે બાપાલાલભાઈને નાનપણથી જ મંગલ ધર્મને સંસ્કારવારસો સહજપણે મળે, જે વારસાને તેમણે તેમની આગવી રીતે વિકાસ કર્યો. આજનું તેમનું જીવન અને કાર્ય જોતા સ્પષ્ટ દેખાય છે. નાની ઉંમરથી જ તેમની કાર્યદક્ષતા, સેવા-પરાયણતા અને કર્તવ્યનિષ્ઠાને લીધે તેમનું વ્યક્તિત્વ અને વજન જનસમાજમાં ઊચકાતું રહ્યું. તેમના વિનમ્ર અને સંસ્કારી વ્યક્તિત્વને કારણે સુવર્ણમાં સુવાસ પ્રસરી. શ્રી અમિઝરા વાસુપૂજ્ય સ્વામિ જેન મંદિરથી માંડીને સુરેન્દ્રનગરની ઘણી બધી સંસ્થાઓમાં અને જિન શાસનના વિવિધ ક્ષેત્રે એમની જે નિઃસ્વાર્થ સેવાઓ પડેલી છે તેનાથી આજની યુવાન પેઢી ચેતનાનું પુષ્કળ ભાથું મેળવી શકે તેમ છે. કુદરતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy