________________
અભિવાદનગ્રંથ છે.
( ૫૭૧
પૂ. આચાર્ય ભગવંતેના ઉપદેશને શિરોમાન્ય ગણી જિન મંદિર તથા ઉપાશ્રયમાં સંપત્તિ ખર્ચતાં કદી પાછીપાની કરી નથી. સેંકડોની સંખ્યામાં સંસ્થાઓમાં અઢળક નાણુને સદ્વ્યય કરી જેન ઘેઘારી, સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમને સંસ્કાર અને ધર્મને વાર તેમના સુપુત્ર શ્રી મહાસુખભાઈ વસંતભાઈ તથા ધનુભાઈ શોભાવી રહ્યા છે. આ સંસ્થા સાથે આવી વિરલ વ્યક્તિ જોડાય તેનું અને ગૌરવ છે. શેઠશ્રી પ્રાગજીભાઈ દીર્ધાયુષ્ય ભેગવે અને જૈન શાસનનાં માનવતાના કાર્યો કરવામાં આગેકૂચમાં વૃદ્ધિ કરે તેવી શુભેચ્છા.
શ્રી પ્રેમજીભાઈ કેશવજીભાઈ છેડા કર્મવેગીનું બિરુદ પ્રાપ્ત કરનાર શ્રી પ્રેમજીભાઈ છેડા મૂળ કચ્છના નાનાભાડીયાના વતની પણ વર્ષો પહેલાં મુંબઈમાં તેમનું આગમન. એમને આત્મવિશ્વાસ ગજબને – આજનશક્તિ અનેરી –નિષ્કામ કર્મણ્યતા અને માત્ર સમાજસેવા એ જ જાણે તેમને ઓડકાર, જૈન ધર્મ, જૈન શાસન પરત્વેને અનન્ય ભાવ નજરે નિહાળે અનેક સંસ્થાઓમાં તેમની સેવાનું પ્રદાન જાણીતું છે.
ધર્મભાવનાને નવો વળાંક આપવાનાં પુણ્યકાર્યો જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે ઊભાં થયાં છે ત્યારે ત્યારે શ્રી પ્રેમજીભાઈ તન મન ધનથી એવાં કાર્યોમાં સક્રિય રહ્યાં છે.
પ્રગતિ પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ હાંસલ કરવા છતાં આત્માની ઉચિત ઉન્નતિ સાધવામાં તેમને વિશેષ રસ રહ્યો છે. પ્રથમ નજરે ન લાગે પણ ઉચ્ચ વિચારધારાના મઘમઘાટ વડે સેવાની સન્નિષ્ટ પ્રવૃત્તિઓ દ્વારા સમાજને ઉન્નત કરવાના તેમના પ્રયાસે પ્રશંસનીય છે.
મિલનસાર સ્વભાવ, બીજાને ઉપયોગી થવાની અને કાંઈક કરી છૂટવાની ભાવનાએ બહાળા મિત્રવર્ગને વિશ્વાસ સંપાદન કર્યો. તેમના હાથે થયેલાં નિસ્વાર્થ કાર્યો જનસમાજમાં જાણીતાં છે. તદ્દન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org