SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૦ ) [ આપણું શ્રેષ્ઠીવર્યો આ ઉપરાંત મથુરામાં બીજ ચિકિત્સાલય મંડળમાં આંખનાં ઓપરેશન ૧૦૦ પ્રતિ વર્ષે થાય છે. તેમ જ ૧૯૮૦-૮૧માં પૂ. શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીના સાંનિધ્યમાં આંખનાં ઓપરેશન ૨૫૦ થી ૩૦૦ ફી કરાવી આપ્યાં છે. તેઓ બાલાસીનેર નવયુવક સંઘના મંત્રી હતા અને જ્ઞાતિની દરેક જાતની સેવા આપે છે. તેઓ “તિપુંજ” મેગેઝીન ચલાવે છે તેના સહતંત્રી હતા. તેમ જ વાડાસીનેર નવયુવક મંડળ મેડિકલ ટ્રસ્ટના સેક્રેટરી છે. તેમાં મફત અથવા મામૂલી ફીમાં દરદીનું પૂરતું નિદાન થાય છે. ઈ. સ. ૧૯૮૬માં ઈલેકટ્રીકલ એસોસિયેશનનું “ગોલ્ડન જ્યુબીલીનું સેવીનિયર” ઓબેરોય શેરેટોનમાં છે. શંકર દયાલ શર્માના વરદ હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું તેનું સંપાદન શ્રી પ્રદીપભાઈ એ કર્યું હતું. ગુજરાતનું ખરેખર તેઓ ગૌરવ છે. શેઠશ્રી પ્રાગજીભાઈ ઝવેરચંદ શૂન્યમાંથી સર્જન કરી કિશોરવયથી મુંબઈમાં આવી મહેનત મજુરી અને પરિશ્રમભરી જિંદગી જીવી પ્રારબ્ધનું અને પુરુષાર્થનું નાનકડું બીજ વટવૃક્ષ જેવું વિશાળ બનાવનાર સૌરાષ્ટ્રના સપૂત શ્રી પ્રાગજીભાઈ ઝવેરચંદના જીવનથી જેન સમાજ અજાણ નથી. શિહોરના વતનીએ મુંબઈને કાર્યક્ષેત્ર બનાવી ભારતભરનાં મેટા ભાગનાં જૈન તીર્થોમાં યથાયેગ્ય રકમ ખચી કીતિ પ્રાપ્ત કરી છે. ધર્મના અને સ્વામિવાત્સલ્યના ઉત્સવ ઊજવવામાં હમેશાં ઉદાર વૃત્તિથી ખેબલે બેબેલે નાણાં ખર્ચા છે. ધર્મ સાથે આરોગ્ય તથા શિક્ષણક્ષેત્રે પણ દાનને ધેધ હંમેશાં વહેવરાવેલ છે. દાનની યાદી કરીએ તે પાનાંનાં પાનાં ભરાય. જૈન ધર્મનાં મૂળભૂત ગણાતાં સાતે ક્ષેત્રેમાં શ્રી પ્રાગજીભાઈએ પોતાની લક્ષ્મીને સદુપયેાગ કરી પોતાનું ધન સમાગે વપરાયું તેને સંતોષ માણ્યો છે અને યોગ્ય માર્ગે વપરાતી ધનસંપત્તિને ખર્ચતાં ગૌરવ અનુભવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy