________________
અભિવાદનગ્રંથ)
[ પ૬૯ જરૂરિયાતની માનવતા પ્રેરી સેવા કરી અગત્યનું કામ બજાવીને કાર્ય કર્યું છે.
મોરબીમાં રેલરાહત વખતે ૪ (ચાર) માસ જેવા અલ્પ સમયમાં એનડે ફાઉન્ડેશન સાથે ૩ર ઘરનું ઘર વસાવી મંદિર વિ. સ્થાપી ઘરવિહોણાં લેકને ગૃહનિર્માણ કરી આપી કાયમી ચિંતામુક્ત કરી એક મહામૂલી સેવા પ્રદાન કરી હતી.
તારા વિલેજ”—આદિવાસી લેકેના વેલફેર માટે કોમ્યુનિટી હિલ બનાવી આપી યુસુફ મહેરઅલી સેન્ટરમાં કાર્ય કરી જરૂરિયાત વાળા લેકેને સર્વ પ્રકારની રાહત આપી હતી.
કમળા નહેરુ પાર્કમાં ચિન કેર્નર જાપાનીઝ પેગોડા ટાઈપની બનાવી આપી ભૂલકાંઓને રમતગમતનું સાધન પ્રદાન કરી તેમ જ ડિઝાઈન વિ. પૂરું પાડી બાળકે પ્રત્યેની મમતા બતાવી હતી. આવા અનેક માનવતાવાદી કાર્યોમાં મોખરે રહી શ્રી મોદીએ માનવતામાં ઈશ્વરનું દર્શન નિહાળ્યું છે અથવા સાચા અર્થમાં પિતાના ઇષ્ટદેવની આરાધના કરી છે. - શ્રી ગણપતિ વિસર્જન વખતે પાટોના પરબ પાસે ખડે પગે સેવા આપી દર વરસે ૭ થી ૮ લાખ પિપાસુની તરસ છીપાવી ઘણું અઘરું કાર્ય પતે ઊભા રહી કરે છે. ઘણી બધી સંસ્થાઓમાં પિતાની સેવા આપે છે–જેવી કે ૧૯૮૨-૮૩માં ઈલેક્ટ્રિકલ મરચન્ટ એસેસિયેશનના મંત્રી તરીકે તેમ જ ૮૪મા પ્રેસિડન્ટ તરીકે ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ઇલેકટ્રિક ટ્રેડર્સ (ફેટ)ના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે, લાયન્સ કલબમાં ત્રણ ઈન્ટરનેશનલ એવોર્ડ અને ત્રણ ડિસ્ટ્રિકટ એર્ડ અને સ્પેશિયલ ગેલ્ડન એવોર્ડ મેળવનાર અને તે પણ એક જ વર્ષ દરમ્યાન પ્રમુખ તરીકે શ્રી પ્રદીપભાઈ એકલા જ છે.
આ ઉપરાંત તેમના માતુશ્રીને નામે તારાબેન કાંતિલાલ મોદી ચેરીટેબલ ટ્રસ્ટ તબીબી રાહત માટે સ્થાપ્યું છે. ફી ડિપેન્સરી તેમ જ કોઠારી હોસ્પિટલમાં ફ બેડ તથા નાણાવટી હોસ્પિટલમાં પણ ફ્રી બેડ સેવા પ્રદાન કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org