________________
પ૬૮ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યો એવા શ્રી પ્રદીપભાઈ કાન્તિલાલ મેદી ઈલેકટ્રિક ક્ષેત્રે પ્રભાવશાળી આગલી હરોળના વેપારી તરીકે ગણનાપાત્ર રહ્યા છે. વાણિજ્યક્ષેત્રે જે દક્ષતા, કાર્યકુશળતા, આવડત, સમજદારી, તેમ જ નિખાલસતા, મિલનસાર વૃત્તિ, વિવેક એ બધા સગુણ લાવી પિતે વિશેષતા લાવ્યા છે. એ જ એમની સિદ્ધિના શ્રીગણેશ કહી શકાય.
એમને જન્મ કરાંચીમાં ૧૩-૬-૪૧ના શુભ દિને થયે હતો. માતા-પિતાના સુસંસ્કારને વારસે જીવનમાં ઝીલી ઉચ્ચ અભ્યાસ તેમણે એલફિન્સ્ટન કોલેજમાં તથા ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયંસમાં ભણું M. Sc. ની ઉચ્ચ ઉપાધિ પ્રાપ્ત કરી હતી અને પિતાના વિદ્યાર્થીકાળ દરમિયાન જ પિતાને પરિચય કરાવ્યું છે.
પિતે શાળા તેમ જ કોલેજમાં પણ આગળ પડતા વિદ્યાર્થી તરીકે રહીને કેલેજના મેગેઝીનમાં, રમતગમત વિ. માં ભાગ લેતા અને તેજસ્વી વિદ્યાર્થી તરીકે ઝળહળ્યા હતા.
પ્રથમ સોપાન તેમણે અભ્યાસ બાદ પિતાના પિતાશ્રીએ ૧૯૫૫ માં સ્થાપેલ શાહ કોર્પોરેશનમાં શરૂઆત કરી અને આતે આસ્તે આ કુ. ને હરણફાળ ગતિએ મૂકી દઈ સારી એવી નામના મેળવી છે, જે શ્રી પ્રદીપભાઈની આવડતનું શુભ પરિણામ છે. ફિલક વાયર તેમ જ પાયરેફલેકસ વાયરની તેઓ એજન્સી ધરાવે છે. શ્રી પ્રદીપભાઈના પિતાશ્રી સ્વ. કાન્તિભાઈ એક ભદ્ર પુરુષ અને ભગવદીય જન તરીકે સમાજમાં જાણીતા હતા. સાધારણ પરિસ્થિતિમાંથી આગળ આવેલ હોવાથી ગરીબો પ્રત્યે હંમેશા તેમની સહાનુભૂતિ બની રહેતી.
લાયન્સ કલબ ઓફ દહીસરમાં ૧૯૯૯માં મેમ્બર તરીકે જોડાયા અને ૧૯૭૧માં વાલકેશ્વરમાં ચાર્ટર્ડ મેમ્બર તરીકે જોડાયા. અને હાલ ૧૯૮૭માં પ્રેસિડેન્ટ તરીકે તેમની સેવા ખૂબ લાયન્સ કલબમાં યાદગાર બની છે. લાયન્સ કલબના નેજા નીચે પાણી પીવાનું પરબ
પાટી પર બનાવી આપવામાં ખૂબ જહેમત ઉઠાવી પૂરું કરી આપી તરસ્યાપિપાસુને શીતળ જળ પ્રદાન કરી એક વિશેષ માનવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org