________________
અભિવાદનગ્રંથ ]
[ ૫૬૫ એ ભાગ્યે જ સદે. આ વાત શ્રી નાગરદાસભાઈ જાણે છે. સમાજ પ્રત્યે પ્રેમ હોય એટલે બોલવું જ એવો રિવાજ એના લેહીમાં નથી. સિંહના ત્રિરંગી ચિત્ર કરતાં રેખાને એકાદ લસરકે સાચા સિંહત્વને અનુભવ કરાવી દે એવી એમની વિશિષ્ટતા છે. હૈયાસૂઝથી મૌનના સાત સાત સાગરની પેલે પાર વાણીની વસ્તીને વસાવીને સમાજ માટે કામ કર્યું જવાની એમની વૃત્તિ અને યુક્તિ અપનાવવા જેવી છે.
માનવીનું મન બહારના વૃન્દાવન અને ધિક્કારના કુરુક્ષેત્રનું મથક છે. રોજિંદા જીવનમાં આપણે જ ઊભા કરેલા વિરોધને વનમાં વનેચરની માફક આપણે અટવાયા છીએ. અમેરિકન કવિ શ્રીટમેને વિરોધની આ વાત બહુ સરસ રીતે કહી છે. મનુષ્યમાં એક મનુષ્ય નહીં પણ અનેક મનુષ્યો રહે છે. ક્યારેક સંપીને, ક્યારેક જપીને તે મોટે ભાગે મનને ધર્મશાળા જેવું બનાવીને આપણે અસ્તવ્યસ્ત જીવન જીવીએ છીએ. મુંબઈ-ભાયખલા દેરાસરના પટાંગણમાં શ્રી વર્ધમાન તપ આયંબિલ શાળા નૂતન મકાનના ખાતમુહૂર્તને લાભ પાલીતાણાવાળા શ્રી નાગરદાસ કાનજીભાઈ શાહે સારી રકમની ઉછામણ બેલીને આદેશ લીધે હતે.
આ પ્રસિદ્ધ દેરાસરને જીર્ણોદ્ધાર શિલ્પ અને સ્થાપત્યના નમૂનારૂપ થયેલ છે. આ સ્થળ તીર્થ સ્વરૂપ ભવ્ય બની રહે એ શેઠશ્રી મતીશાની ભાવના સાકાર થઈ રહી છે, ચોવીશ જિનાલયના આયેાજન સાથે નૂતન ઉપાશ્રય, આયંબિલશાળા, ધર્મશાળા, વગેરે નિર્માણ થનાર છે.
આયંબિલશાળાનું ખાતમુહૂર્ત કારતક વદ ૧૧, તા. ૧૧ મી ડિસેમ્બર, ૮૨ ના રોજ શ્રી નાગરદાસભાઈ તથા તેમના કુટુંબીજનેએ અપૂર્વ ઉલ્લાસથી કરેલ છે. સોનામાં સુગંધ ભળે તેમ આ પ્રસંગ હતે.
એમના આવા વ્યકિતત્વ પાછળ મંદિરની નગરી શત્રુંજયના છે. ૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org