________________
અભિવાદનગ્રંથ છે
[ ૫૬૩ હીરામણિબહેનનું પરગજુપણું અત્યંત અણમેલ હતું. તેમના મિલનસાર સ્વભાવને કારણે તેમના બારણેથી કઈ પણ અતિથિ હસતે મુખેથી વિદાય લેતા. શ્રી નવીનચંદ્રભાઈ શેરબજાર બેર્ડમાં ડિરેકટર તરીકે માનવંતુ સ્થાન શોભાવી રહ્યા હતા અને એનરરી ખજાનચી પણ હતા. ઉપરાંત શ્રી કોટ શાંતિનાથજી જૈન દેરાસરના મેનેજિંગ ટ્રસ્ટી તથા પ્રમુખ પણ છે. આ દેરાસરને દેવદ્રવ્યના દેવામાંથી મુક્ત કરવા માટે પૂ. આ. શ્રી. વિજયધર્મસૂરિજીના આશીર્વાદથી તેમણે આગેવાનીભર્યો ભાગ ભજવ્યો હતો. તેમણે એ અરસામાં જૈન સંઘ તરફથી રાષ્ટ્રીય સંરક્ષણ ફાળે, માતબર ફાળે એકઠો કરી મહારાષ્ટ્રના નામદાર રાજ્યપાલ શ્રીમતી વિજયાલક્ષમી પંડિતને અર્પણ કરેલ. આમ શેઠશ્રી દેશકાર્યોમાં પણ આગળ પડતે ભાગ લ્ય છે. પૂજા માતુશ્રી તથા પિતાશ્રી પાસેથી જીવનમાં યશભાગી બનવાની પ્રેરણા પ્રાપ્ત કરી છે. ૧૯૬૫માં ગોલ્ડ બોન્ડમાં ગવર્નમેન્ટને સારી એવી મદદ કરી છે. મોટી રકમનું સેનું સમાજમાંથી ઉઘરાવી દીધું હતું. માંગરોળ દવાખાનામાં મેટી રકમનું દાન કર્યું. કેટ દેરાસરને પણ આયંબિલ ખાતામાં મેટી રકમ આપી. તેમના પુત્ર શેઠશ્રી મહેન્દ્રકુમાર કંપાણી શેરબજારના ડાયરેકટર છે. હિન્દુસ્તાનમાં આર્થિક ક્ષેત્રે તેમની ગણના થાય છે. શ્રી નવીનચંદ્રભાઈ કંપાવ્યું . એમ ફાયનાન્સના ચેરમેન છે. તે કંપનીમાં મહેન્દ્રભાઈ તથા નિમેષભાઈને પણ મહત્વનો ફાળો છે. શ્રી મહેન્દ્રભાઈ શેરબજારના વાઈસ પ્રેસીડેન્ટ નિમાયા છે.
ડે, નગીનદાસ પાનાચંદ શાહ મૂળ ઘેઘાના વતની પણ વર્ષોથી અગાસી-મુંબઈને કાર્યક્ષેત્ર બનાવ્યું. નાની ઉંમરથી જ આગળ ભણવાને અને જીવનમાં કાંઈક કરી છૂટવાને મનસૂબે સેવેલે એટલે જાહેર જીવનમાં એમનું
વ્યક્તિત્વ ઝળકી ઊઠયું. કેસની અનેકવિધ પ્રવૃત્તિઓમાં મોખરે રહ્યા. શિક્ષણક્ષેત્રમાં પણ એ જ રસ લીધે. મહાવીર જૈન વિદ્યાલય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org