________________
અભિવાદનગ્રંથ ]
[ પપપ હાર્ડવેરના વ્યાપાર-વાણિજ્યની દુનિયામાં માનનીય શ્રી ડાહ્યાલાલભાઈ એક “પાયોનિયર” સર્જક, વિચારક અને જક તરીકે મુલ્કમશહૂર છે. નેટલફેન્ડ કુ તેમ જ ગેટ કલી વિલિયમ્સ લિ.ની બનાવટનાં નટોલટ અને વિવિધ પ્રકારનાં ફાસનર્સના વ્યાપારી આલમમાં જેનું નામ ટોચ કક્ષાએ સ્થાપિત થયેલું છે એવા આગેવાન વ્યવસાયગૃહ મેસર્સ હાર્ડવેર ટ્રેડિંગ સિન્ડીકેટ (મુંબઈ તથા અમદાવાદ) અને મેસર્સ મિનેશ ફાસનર્સ (વડોદરા)નું સફળ સંચાલન એમના સુપુત્ર શ્રી ચંદ્રકાન્તભાઈ તથા શ્રી હસમુખભાઈ કરી રહ્યા છે તે તેઓશ્રીના મૂલ્યવાન માર્ગદર્શનને આભારી છે.
શ્રી ધીરજલાલ પ્રેમચંદ શાહ જીવનનું સાફલ્ય સંતેષરૂપી ધનમાં છે. માનવીમાં સંતેષ હાય, સાથે ઉદારચરિત વૃત્તિ હોય અને બીજાને ઉપયોગી થવાની ભાવના હોય તે તે માનવીમાં ભગવાન વસે છે તેમ કહેવાય. આજના આપણું સ્નેહ સંમેલનના પ્રમુખ શ્રી ધીરજલાલ પ્રેમચંદ શાહને કવિશ્રી મકરન્દ દવેની ઉક્ત પંક્તિઓ સ્પેશે છે. દિનાંક ૧૨ મી એપ્રિલ ૧૯૩૬માં જન્મેલા શ્રી ધીરુભાઈને આ ઉદાત્ત સંસ્કારવારસો તેમના પ્રેમાળ પિતાશ્રી પ્રેમચંદ છગનલાલ શાહ, અને વાત્સલ્યમૂર્તિ માતુશ્રી અજવાળીબહેન તરફથી મળે છે. શ્રી ધીરુભાઈનું જીવન અત્યંત કપરા સંજોગોમાં પસાર થયું છે. મુશ્કેલીઓ અને આફત સામે તેઓ અડીખમ ઊભા રહ્યા છે. શૈર્ય અને સહનશક્તિની તેઓને આકરી કસેટી થઈ છે. તે પણ આવા પ્રતિકૂળ સમયે તેમની સ્થિતપ્રજ્ઞતા સૌને વિસ્મય પમાડે તેવી હતી. વહાલા વતન શ્રી સિદ્ધક્ષેત્ર પાલીતાણાની પવિત્ર ભૂમિમાં જ મેટ્રિક સુધીને અભ્યાસ કરી તેઓએ નસીબ અજમાવવા કલકત્તા, દિલ્હી અને મદ્રાસની સફર કરી હતી. મદ્રાસમાં તેઓ થડે સમયમાં જ હાર્ડવેર અને સ્ટેશનરી વસ્તુઓનું ઉત્પાદન કરીને વ્યાવસાયિક ક્ષેત્રે સારી નામના મેળવી હતી. એ પછી તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org