SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૫૫૩ હતી અને શતાવધાની પંડિત તરીકે પકાયા હતા. તેઓએ બાળવાર્તાઓથી લઈ ને જૈન ધર્મ અંગેનાં લખેલાં ગ્રંથેા મળીને એકંદર ૪૦૦ જેટલાં પુસ્તકે લખ્યાં છે. આથી મહાન સિદ્ધિ દેશમાં ભાગ્યે જ કેઈ સાહિત્યકારે મેળવેલી હશે. કયાં દાણાવાડા જેવા નાના ગામના એક વિદ્યાથી અને કયાં કરાંચી, દિલ્હી, કલકત્તા, મદ્રાસ, મુંબઈ, લંડન જેવી નગરી અને પ્રદેશેામાં પૂજાતા આ બહુશ્રુત મહા માનવી ! તેમના જીવનકાળ દરમ્યાન તેઓને ગુજરમણિ, સાહિત્ય ધારિધિ, ગુજરરત્ન, જેવાં અનેક બિરુદેશ મળ્યાં હતાં. તેઓએ ૭૫ વર્ષ પૂરાં કર્યાં ત્યારે મુંબઈ, લંડન અને વતન દાણાવાડામાં હીરક મહેાત્સવ ઊજવાયા હતા. જીવનયાત્રામાં આગળ વધતા અને અનેક ક્ષેત્રા ખેડતા આ પ્રતિભાવંત પડિતજી જીવનનાં અ ંતિમ વરસામાં વતન દાણાવાડાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા. તેએશ્રી મુળી પ્રજા મંડળ, મુંબઈના એક સ્થાપક અગ્રણી હતા. દાણાવાડામાં શ્રીમતી ચંપાબહેન ધીરજલાલ ટાકરશી શાહુ ઉ. બુ. વિનય મંદિર, ટોકરશીભાઈ ગૌશાળા, માતુશ્રી મણિબહેન વિજ્ઞાન ખંડ ઇત્યાદિ માટે સારી સખાવતા પણ આપી હતી. ગ્રામ વિસ્તારમાં કાય કરવામાં ક્ડ મેળવવાનું કઠિન કામ હાવાનું તેઓ સમજતા હતા. કાર્યકર્તાને ક્ડ મેળવવા સારી એવી જહેમત લેવી પડે છે અને તેમાં તેની શક્તિના ઘણા સમય જાય છે. આ હકીકતને નજર સામે રાખીને ગૌશાળા અને વિજ્ઞાનખંડ બાંધવાનું સઘળુ ખર્ચ તેમણે આપ્યું હતું. વિનય મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે તેઓએ દાણાવાડા ગામને ધુમાડાબંધ જમાડયું હતુ. દાણાવાડાના વિકાસ માટે તે ઘણું કરવા ઇચ્છતા હતા અને તે માટે પાંચ હજાર વારના પ્લાટ પણ અનામત રખાવ્યેા હતા, શિક્ષણ ઉપરાંત યુવાના અને બહેનાને રાજી આપવા તથા આધ્યાત્મિક સંસ્કારનું સિ ́ચન કરવા માટે શ્રી ધીરજધામ રાજગાર અને સત્કારકેન્દ્ર પ્રવચન હાલ સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy