________________
પપર ]
[ આપણા શ્રેષ્ઠીવ આત્મશ્રેયાર્થે શ્રી વાસુપૂજ્ય સ્વામી પ્રાસાદે શ્રી પંક્ષિકા મહોત્સવ ર. પુત્રના મૃત્યુને ફક્ત આઠ જ દિવસ વીત્યા હતા પણ હમેશાં સવારમાં સ્નાત્ર મહોત્સવમાં અને બપોરે પૂજાઓમાં ઘરનાં સહ અને કુટુમ્બીજને ભાગ લેતાં. લૌકિક દષ્ટિ ત્યજી લેકોત્તર દષ્ટિ પામેલા જી અવસરે અવસરે શાસન પ્રભાવના કરવાનું ચૂકતા નથી તે આનાથી સિદ્ધ કર્યું. ધન્ય હો જૈન શાસનને કે જેણે આવી ઉત્તમ કોટિની આરાધનાની સામગ્રી આપી છે.
દુષ્યતકુમાર સુરેન્દ્રનગરની એમ. પી. શાહ કેલેજમાં અભ્યાસ કરવા સાથે લગભગ ૧૦૦ વર્ષ જૂની પોતાની શાહ ડાહ્યાભાઈ લલ્લુભાઈ કમિશનની પેઢીને વહીવટ સંભાળતા હતા. સ્વભાવે સરળ, નિખાલસ અને મિલનસાર હતા. મૃત્યુબાદ તેમનાં ચક્ષુઓનું દાન તેમના સુબુદ્ધ પિતાશ્રી બાપાલાલભાઈ શાહે મુંબઈની આઇબેન્કને કર્યું હતું–જેના પ્રતાપે વરલીની સ્કૂલના બે વિદ્યાર્થીઓને નયન
જ્યોતિ પ્રાપ્ત થઈ છે. ધન્ય છે પિતે બુઝાઈને અન્યને ત આપનાર સ્વર્ગસ્થ દુવ્યંતકુમારને.
સ્વર્ગસ્થ દુષ્યતની બને આંખે બે મનુષ્યને સફળ રીતે બેસાડવામાં આવી છે તે આભારને આવેલ પત્ર જેમાં મેડિકલ ઓફીસર ડે. ચવ્વાણુ જણાવે છે કે સ્વ. દુષ્યતે મૃત્યુ પછી પણ માનવતાની સેવા કરી છે.
શતાવધાની સ્વ. શ્રી ધીરજલાલ કરશી શાહ
મૂળ દાણવાડાન રહીશ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહનું ૮૦ વર્ષની વયે મુંબઈમાં તા. ૨૩-૭-૮૫ ને રોજ અવસાન થયું. સ્વર્ગસ્થનું શિક્ષણ દાણાવાડા, વઢવાણ અને પાછળથી અમદાવાદમાં શ્રી સી. એન. છાત્રાલય (વિદ્યાવિહાર)માં થયું હતું. તેઓ પહેલેથી જ તેજસ્વી વિદ્યાર્થી હતા. એક સારા વક્તા, લેખક, ચિત્રકાર, સાહસિક પ્રવાસી, વૈદકમાં નિપુણ એમ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. તેઓની યાદશક્તિ ઘણી તીવ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org