________________
૫૫૦ ].
[ આપણા શ્રેણી પાંચ વાગતાં દુષ્યન્ત બાપાલાલભાઈને પોતાની પાસે લાવ્યા. બાપાલાલભાઈ એ દુષ્યન્તની પથારીમાં બેઠાં બેઠાં દુષ્યન્તને પ્રાતઃકાળના બાર નવકાર ગણવા કહ્યું દુષ્યન્તકુમારે ગણ્યા. સાડાચાર મહિનાની કેન્સરની બીમારીમાં હંમેશાં ત્રિકાળ નવકારનું સ્મરણ ચાલુ જ હતું. પ્રાતઃકાળ થતાં રેજના નિત્યક્રમ પ્રમાણે બાપાલાલભાઈએ નવકાર ઉવસગ્ગહર સ્તોત્ર, વીશ જિનવંદનખામેમિ સવ્યજીવે, અંગૂઠે અમૃત વસે અને સર્વ મંગલના પાઠ સંભળાવ્યા. સુરેન્દ્રનગર મંડન બારમા તીર્થપતિ શ્રી વાસુપૂજ્યસ્વામિ ભગવંતનાં પ્રતિમાજીની પ્રતિકૃતિનાં દર્શન કરાવ્યાં. પ્રાત:વિધિ પતાવી. આજે પ્રમાણમાં વેદના ઓછી હતી અને દુષ્યન્ત આનંદમાં હતો. બપોરે બાર વાગ્યા એટલે બાપાલાલભાઈએ બાર નવકાર ગણવા કહ્યું. દુષ્યન્ત કહે કે ભાઈ તમે ગણે એટલે બાપાલાલભાઈએ બાર નવકાર ગણી સંભળાવ્યા અને નિત્યક્રમ મુજબ આરાધના કરાવી. થોડીવારે પૂજ્ય તપવી મુનિ મહારાજ શ્રી હેમેન્દ્રવિજયજી મહારાજશ્રી ગેચરી માટે પધાર્યા. દુષ્યન્તના પલંગ પાસે આવી ઊભા રહ્યા. તબિયતના ખબર પૂછડ્યા. દુષ્યતે બે હાથ જોડી પગે લાગી ઠીક છે કહ્યું. પિતે સૂતાં સૂતાં મુનિમહારાજને વહેરાવ્યું. દુષ્યન્તને પિતાને અત્યંત આનંદ હતો. આહાર નિર્દોષ હતો. શાલિભદ્રના જીવે આપેલા અનુપમ દાનની યાદી આપે તે પ્રસંગ હતો. બાપાલાલભાઈ ગુરુમહારાજને બારણું સુધી વળાવવા ગયા અને ગુરુમહારાજને વિનંતિ કરી કે સાહેબ, હવે દર્દ જેર કરતું જાય છે. આઠદસ દિવસ માંડ નીકળે છે. માટે આપણે વ્રત-પચ્ચકખાણ લેવરાવીએ. સાહેબ કહે, ભલે, આયંબિલ કરી લઉં એટલે બેલાવવા આવજે. સાહેબ ગયા પછી દુષ્યન્ત આનંદમાં હતો!
લગભગ સાંજના સાડા પાંચ વાગ્યે દુર્યંતનાં કાકી ડે. ઈન્દુ આવ્યાં. તેમણે પથારી સાફસૂફ કરી ઓછાડ ફેરવવા તૈયારી કરી, દુષ્યન્ત વાતચીત કરતે હતે. તુરત જ ચકકર આવે છે તેમ કહેતાં ડો. સાવધાન થઈ ગયાં. બાપાલાલભાઈ પ્રસંગ પામી ગયા. તુરત જ નમસ્કાર મહામંત્રનું શ્રવણ શરૂ થઈ ગયું. સહુ કેઈ નવકારમંત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org