________________
અભિવાદનગ્રંથ ]
[ ૫૪૯ સુરેન્દ્રનગરને મોટી રકમનું ડેનેશન આપ્યું. સુરેન્દ્રનગરમાં દુષ્કાળના કપરા દિવસોમાં કેટલકેમ્પ દ્વારા સેંકડે ગાયને રક્ષણ આપ્યું. રેટરી કલબ-સુરેન્દ્રનગર, અનાથાશ્રમ-સુરેન્દ્રનગર એમ ઘણી જગ્યાએ નાનામેટા ફંડફાળામાં શ્રી દિલીપભાઈએ મકળા મને ઘણી બધી સખાવત કરી છે. દાનધર્મની કેડી ઉપર ચાલતા રહેવાની તેમના પિતાશ્રીની શીખને તેમણે જીવનમાં બરાબર અમલ કર્યો છે.
નાની ઉંમરમાં તેમણે સાધેલી પ્રગતિ અને તેમના વિનમ્રવિરલ વ્યક્તિત્વની ગૌરવભરી નેંધ લીધા વગર ચાલે તેમ નથી. તેમના શુભ હાથે હજુ ઘણું સુંદર કાર્યો થાય તેવી શુભેચ્છા.
શ્રી દીપકભાઈ નવલભાઈ સંઘવી સાવરકુંડલાના સંઘવી પરિવારે ઔદ્યોગિક ક્ષેત્રે ઘણી મોટી સિદ્ધિ હાંસલ કરી છે. દાદાશ્રી માધવજીભાઈ એ કેમિકલના ધંધાની શરૂઆત કરી, શ્રી જગમેહનભાઈએ એ વ્યવસાયને ખીલવ્યો અને વિકસાવ્યું તે પછી તેમના પુત્ર નવલભાઈ એ ધંધાને પ્રગતિની ટોચે લઈ ગયા–તે પછી ચોથી પેઢીએ શ્રી દીપકભાઈ આજે વડગાદી વિસ્તારમાં કેમિકલના ધંધામાં આગળ પડતું નામ ધરાવે છે-ધંધાની હૈયાસૂઝ ઘણી છે.
આ સંઘવી પરિવાર તરફથી સાવરકુંડલાની કોમર્સ કોલેજ માટે તથા અન્ય નાનામોટા ફંડફાળામાં સારી એવી દેણગી અપાયેલી છે.
સ્વ. શ્રી દુર્ગંતકુમાર બાપાલાલ શાહ સંવત ૨૦૨૦ના આ સુદ ૪ શુક્રવારને દિવસ હતો. શ્રી બાપાલાલ મનસુખલાલ શાહ તેમના પુત્ર દુષ્યન્તકુમારની કેન્સરની અસાધ્ય વ્યાધિને લઈને મુંબઈ સાન્તાક્રુઝ રહેતા હતા. સવારનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org