________________
અભિવાદનગ્રંથ ]
[ ૫૭ - શ્રી દિનેશભાઈ રતિલાલ વોરા
સૌરાષ્ટ્રમાં જીવન વીમાના ક્ષેત્રે જે કેટલાંક પ્રગતિશીલ નામો નજરે ચડે છે તેમાં સુરેન્દ્રનગરના શ્રી દિનેશ રતિલાલ વોરાનું નામ સારી રીતે લોકજીભે માન અને આદર પામ્યું છે. - સુરેન્દ્રનગરમાં જીવન વીમાના વિકાસ અધિકારી તરીકે સુંદર સેવા આપી રહ્યા છે. સતત છેલ્લાં બાર વર્ષથી કરોડપતિ વિકાસ અધિકારીનું બિરુદ પ્રાપ્ત કરી રાજકેટ ડિવિઝનમાં ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કરનારા છે–તેમને અનેક એવોર્ડ મળેલા છે. રાજકોટ જિલ્લામાં વધારે વ્યક્તિઓને વીમા પોલીસી વેચાણ કરી સહવીરનું બિરુદ મેળવ્યું.
જેન જાગૃતિ સેન્ટર, સુરેન્દ્રનગર શાખાના સ્થાપક સેક્રેટરી તરીકે ત્રણ વર્ષથી ચાલુ છે. સુરેન્દ્રનગરની રેટી કલબના સેક્રેટરી તરીકે, વઢવાણ મહાજન પાંજરાપોળમાં માનદ મંત્રી તરીકે, સુરેન્દ્રનગર સંચાલિત સૌરાષ્ટ્ર મેડિકલ સેન્ટર કારોબારી કમિટીના મેમ્બર તરીકે, વઢવાણ તાલુકા માનવસેવા અને જીવદયા સમિતિમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે સેવા ચાલુ છે.
હળવદની અનેક સંસ્થાઓમાં પણ કામ કર્યું છે. જલારામ સવિચાર પરિવારના સભ્યો સાથે રહીને કેટલકેમ્પ તથા માનવ રાહત કાર્યોમાં અગ્ર ભાગ લીધે છે. નાનીમેટી અનેકવિધ સામાજિક, શિક્ષણિક, ધાર્મિક પ્રવૃત્તિઓમાં શ્રી દિનેશભાઈ વેરા હંમેશાં અગ્ર હરોળમાં હેાય છે.
શ્રી દલીચંદ રાયચંદ શાહ ધર્મપરાયણ ભદ્ર પુરુષ શ્રી દલીચંદભાઈ શાહ મૂળ સૌરાષ્ટ્રમાં સિહિર પાસે ટાણાના વતની પણ ઘણાં વર્ષોથી મુંબઈને કાર્યક્ષેત્ર બનાવ્યું. ૭૭ વર્ષની ઉંમરે પણ સારી એવી તંદુરસ્તી ધરાવનાર આ શ્રેષ્ટિશ્રીએ આજથી પચાસ વર્ષ પહેલાં મુંબઈમાં પગ મૂક્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org