________________
અભિવાદનગ્રંથ ]
[[ પ૪પ બેંગલરમાં ઈ. સ. ૧૯૭૭માં શ્રી ગુજરાતી પ્રગતિ સમાજની સ્થાપનામાં મેખરે રહીને વર્ષો સુધી પ્રમુખપદ દીપાવ્યું હતું. ઉપરાંત સાર્વજનિક દવાખાનાના પણ પ્રમુખ હતા. ભારતીય વિદ્યાભવનમુંબઈના તેઓશ્રી પેટ્રન છે. રેટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિકટ ૩૧૯ના ગવર્નર તરીકે ઈ. સ. ૧૯૭૯-૮૦માં ઉજવળ કારકિદી દાખવી ચૂક્યા છે. તેઓશ્રી પલ હેરીસ ફેલો તરીકેનું બહુમાન ધરાવે છે. ઉપરાંત અખિલ ભારત ગુજરાતી સમાજની કારોબારી સમિતિના સભ્ય તરીકે સેવા અર્પણ કરી છે.
શ્રી જતીન્દ્રભાઈ અને તેમનાં ધર્મપત્ની શ્રીમતી સુનિલાબહેન જપાનમાં ત્રણેક વર્ષ રહેલાં છે. યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફેરમાસા, થાઈલેન્ડ, સીગાપુર, ફિલિપાઈન્સ, એમ બધી જગ્યાએ જઈ આવ્યાં છે.
આ વર્ષ ૧-૫-૦૮ના યુ. એસ. એસ. આરની સફરે ગયેલા ત્યારે શ્રી ગરબાચેવને પણ મળી શક્યા હતા.
ભારતના ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસમાં જીવનભર પ્રખર બુદ્ધિ કૌશલ્ય, પ્રચંડ વહીવટી શક્તિ, અને બહુમુખી પ્રતિભાથી શ્રી જે. વી. દેશની સેવાઓ સુવર્ણાક્ષરે અંકિત થશે. તેમને અભિનંદના કરીએ છીએ
શ્રી જીવનચંદ ઝવેરચંદ ઝવેરી વર્તમાન મુંબઈની વિવિધ ધાર્મિક સંસ્થાઓના અગ્રણી શ્રી જીવનચંદભાઈને વડીલે મૂળ સુરતના વતની પણ આ ઝવેરી કુટુંબ ઘણાં વર્ષોથી મુંબઈ આવીને વસેલું છે.
શ્રી જીવનચંદભાઈને જન્મ મુંબઈમાં અને ઉછેર પણ મુંબઈમાં. ધાર્મિક વાતાવરણ તેમના પરિવારમાં હતું જ, તેથી ધાર્મિક આજનમાં વિશેષ રસ અને રુચિ. વ્યવસાયમાં ઝવેરાતને ધંધે જેમાં છેક શરૂથી આજ સુધી એકધારી પ્રગતિ થતી રહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org