SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ પs ] [ આપણ શ્રેષ્ઠ વર્ષે યાત્રાએ જઈ તેમણે ભારતનાં દરેક ધાર્મિક સ્થળોએ દેરાસર, સેવા-પૂજા-ભક્તિને અનન્ય લાભ લીધેલ હતે. ઘણુ જ ધર્મપ્રેમી હતા. સૌને સન્માનિત બન્યા હતા. શ્રી જ્યોતીન્દ્રભાઈ વી. દોશી બુદ્ધિ અને પ્રતિભાને સમન્વય સાધી જનસમાજમાં એક વિરલ ઉદ્યોગમર્મજ્ઞ તરીકે સારી એવી ખ્યાતિ પામેલા શ્રી જ્યોતીન્દ્રભાઈ દોશીના યશભાગી અને સભાગી હાથ વડે પરમાર્થ જીવનનાં જે જે કાર્યો થયાં છે તે ચિરસ્મરણીય બની રહેશે. ગળથૂથીમાંથી જ સેવાના સંસ્કાર વડે રંગાયેલ શ્રી જ્યોતીન્દ્રભાઈ મૂળ રાજકેટના ઉચ્ચ વણિક પરિવારના નબીરા–તેમનો ઉછેર પણ સંસ્કારી વાતાવરણમાં થયે. તેમની આજની ઉત્કૃષ્ટ કારકિર્દી પાછળ પ્રેરણા અને પુરુષાર્થની અનન્ય કથા ધરબાયેલી છે. જ્ઞાતિમાં, સમાજમાં, સરકારમાં સર્વત્ર સૌ કોઈના આદર અને સન્માનનું અધિકારીપદ હાંસલ કરનાર શ્રી તીન્દ્રભાઈ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ ડિગ્રીઓ ધારણ કરવાને સદ્ભાગી બન્યા. મુંબઈના ઔદ્યોગિકક્ષેત્રે પણ ઊજળી તક ઊભી થઈ. વિશ્વવિખ્યાત કમાણી જૂથની ઔદ્યોગિક સંસ્થાઓના વિરાટ વિકાસમાં બાવીસ વર્ષ સુધી એકધારી અને એકચકી જવાબદારીઓ ખંત-નિષ્ઠાથી અદા કરી. કમાણે ઔદ્યોગિક જૂથની સેવાઓ પછી પછી ૧૯૬૫માં શ્રી જ્યોતીન્દ્રભાઈ બેંગલોરના મહેતા ઔદ્યોગિક જૂથ સાથે સંકળાયેલા હતા. એ પછી ઔદ્યોગિક ક્ષેત્રમાં પિતાની શક્તિ અને આવડતને ઉપયોગ કરી તેમણે સ્વતંત્ર સાહસના શ્રીગણેશ કર્યા–જેમાં એલ્યુમિનિયમ, કેબસ અને કન્ડકટર્સનાં કારખાનાના પ્રચંડ પાયા રેપ્યા હતા. ઔદ્યોગિક ક્ષેત્રની ભરપૂર પ્રવૃત્તિઓમાં પણ સરકાર નિર્મિત અનેકવિધ સમિતિઓમાં ઉચ્ચ સ્થાને રહ્યા છે. સામાજિક ક્ષેત્રે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy