________________
અભિવાદનગ્રંથ ]
[ પ૪૩ અને જ્યાં જ્યાં અનુકૂળ લાગે ત્યાં તન, મન, ધનની શુભનિષ્ઠાથી સેવા આપેલ છે. આ બધી સેવા પ્રવૃત્તિમાં તેમનાં ધર્મપત્ની દિવાળીબહેનનો સહાગ છે.
સને ૧૯૪૧ થી ૧૯૫૫ સુધી વડીલ બંધુ શ્રી શાંતિલાલભાઈની સાથે શાહ બ્રધર્સ એન્ડ કંપની ખૂબ નામનાથી ચલાવી છે. ત્યારબાદ સ્વતંત્ર શાહ બ્રધર્સ કંપની પિતાના ત્રણ પુત્ર શ્રી સૂર્યકાન્તભાઈ, શ્રી કુમારભાઈ શ્રી હર્ષદભાઈને સહકારથી ચાલે છે. મેમ્બાસાથી સ્વદેશ આવ્યા બાદ જેને સમાજની સુંદર સેવા કરતી શ્રી આત્માનંદ જૈન સભાને સંચાલનમાં મંત્રી તરીકે વીશ વર્ષથી વધારે સેવા આપીને હાલ આ સભાના શુભેચ્છક તરીકે છે. શ્રી વલ્લભ સમારક નિધિ, જેઓ જૈન અને જૈનેતરને લાભ થાય તેવાં સુંદર સિદ્ધાંતિક પુસ્તકોને સસ્તા દરે ફેલા કરે છે, તેના મંત્રી તરીકે વર્ષોથી છે. બીજી ઘણી સંસ્થાઓમાં મંત્રી તરીકે પ્રમુખ અને કારોબારીના સભ્ય તરીકે સેવા આપેલ છે.
શ્રી જગજીવનભાઈ મધ્યમ સ્થિતિના માણસ હોવા છતાં જૈન ધર્મનાં સાતે ક્ષેત્રમાં શક્તિ મુજબ દાન, ખાસ શિક્ષણ અને સાધમિક ભક્તિ માટે સારી રકમો સ્થાયી ફંડ રૂપે આપી છે.
તેઓશ્રી જેન કેન્ફરન્સ, જૈન સ્વયંસેવક મંડળ, પ્રગતિ મંડળ કો. ઓ. સાસાયટી, મહાવીર જૈન વિદ્યાલય, જૈન સાધમિક શિક્ષણ સંઘ, શ્રી ઝાલાવાડ મૂર્તિપૂજક જૈન સંઘ, મુંબઈ તથા ઘાટકોપર, ગેડિજી, ચિંતામણી તથા નેમીનાથજી જૈન દેરાસર સાથે સંકળાયેલ હતા.
સ્વ. શ્રીએ જીવદયા, પાંજરાપોળ, સાધર્મિક ભક્તિ, દવાખાનાં, હોસ્પિટલ, શિક્ષણ સંસ્થાઓ, છાત્રાલયે, પાઠશાળા, ધાર્મિક સંસ્થાઓ, દેરાસર, દેરાસર જીર્ણોદ્ધાર, આયંબિલ ખાતાં, ઉપાશ્રય, ધાર્મિક સ્થળો, ભેજનાલય, રેલ રાહત, અનાથાશ્રમ, અંધ વિદ્યાલય, વૃદ્ધાશ્રમ, પાણીની પરબ, સાહિત્ય જ્ઞાન ભંડાર; સાધુ-સાધ્વી વૈયાવચ્ચમાં દર વર્ષે યથાયોગ્ય ફાળો આપી ધનનો સદ્ઉપયોગ કરેલ હતો. દર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org