SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ પકર ] [ આપણા શ્રેષ્ઠવો સુવ્યવસ્થિત અને પ્રગતિશીલ બનાવવા શ્રી છેલભાઈને પ્રમુખ બનાવરાવ્યા અને પિતે મંત્રી તરીકે રહ્યા અને આધુનિક ખેતી તથા પશુઓની સારી સંભાળ લઈ વહીવટને સુધાર્યો. મુંબઈથી સતતપણે દાનની રકમ મેકલતા રહ્યા છે. શ્રી જગજીવનદાસ શિવલાલ શાહ સૌરાષ્ટ્રમાં પ્રાંગધ્રા તાલુકાના કેંઢ ગામમાં જન્મ. ૧૯૦૩ નવેમ્બરની ૧૧ મી તારીખે સુપ્રતિષ્ઠિત શેઠ ડાહ્યાભાઈ ડુંગરશીના કુટુંબમાં પિતા શેઠ શિવલાલભાઈ અને માતુશ્રી શિવબહેનને ત્યાં થયો હતો. બાર વર્ષ સુધી વતનની ગામઠી સ્કૂલમાં અભ્યાસ બાદ પૂ. પંડિત શ્રી સુખલાલજી અને વડીલ ભાઈશ્રી હરખચંદભાઈની સહાયથી અમદાવાદમાં શેઠ ચમનલાલ નગીનદાસ છાત્રાલયમાં દાખલ થઈ દસ વર્ષ સુધી અભ્યાસ કર્યો હતે. પૂ. ધર્મમાતુશ્રી માણેકબેન અને પૂજ્ય નિર્મળાબહેન તથા પૂ. ઇન્દુમતીબેનની છત્રછાયામાં આ છાત્રાલયમાં સંસ્કાર, ચરિત્ર અને જ્ઞાન સંપાદન કર્યું. ૧૯૨૬માં શેઠશ્રી અંબાલાલ સારાભાઈની ફર્મ મારફત આફ્રિકા જવાનું નેકરીનું સાહસ કરેલ. એક વર્ષ કંપાલા (યુગાન્ડા)માં રહ્યા બાદ હવાપાણીની સાનુકૂળતા ન થતાં કંપાલાની નોકરી છોડીને ઓસામાં સેમી-ગવર્નમેન્ટની અંદરની નોકરીમાં જોડાયા. ત્યાં બહુ જ ગૌરવ પૂર્વક ૧૩ વર્ષ નોકરી કરીને ૧૯૪૧માં સ્વદેશ પાછા ફર્યા. આફ્રિકામાં મોમ્બાસામાં દેશવાસી જનસંઘના મંત્રી તરીકે, જૈન યુવક મંડળના ઉપપ્રમુખ તરીકે સારી સેવા આપેલ. ત્યાંના સંઘમાં સંપ-સ્નેહ વધારેલ અને આંખના પ્રસિદ્ધ ડેાકટર મનસુખલાલ તારાચંદ શાહના નાનાભાઈ તરીકે જેમણે બંને સંઘને અને સમાજને સેવા આપેલ. નાના જેન ઘર-દેરાસરમાંથી શિખરબંધ દેરાસર બાંધવામાં મેમ્બાસાના સંઘને ઘણો સગ આપેલ. શેઠ ચમનલાલ નગીનદાસ છાત્રાલયમાં શીખેલ સેવાને પાઠ જીવનમાં ઉતાર્યો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy