SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૫૧ દર્શન કરાવ્યાં છે. ધંધાદારી ક્ષેત્રે મુંબઈ આવીને શરૂઆતમાં વાયદા બજારમાં કામ કર્યું. તે પછી પાવરલુમ્સમાં કાપડ મેન્યુફેક્ચરિંગનું કામ હાથ ધર્યું અને તેમાં ધારી સફળતા મેળવતા ગયા. જયંતિલાલભાઈનાં સૌજન્ય, સંસ્કાર અને સહયોગ વડે અનેક સંસ્થાઓને બળ મળ્યું છે એટલું જ નહીં, ઘણી સંસ્થાઓ સાથે પતે સક્રિય રીતે સંકળાયેલા છે. મુંબઈની સૌરાષ્ટ્ર દશા શ્રીમાળી સેવા સંઘ, સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી જૈન ભેજનાલય, ઘૂઘારી દશા શ્રીમાળી જ્ઞાતિ, જૈન સેશ્યલ ગ્રુપ, ગઢડા મિત્ર મંડળ, ઈસ્ટ ઈન્ડિયા ચેમ્બર ઓફ કેમર્સમાં ચાલીશ વર્ષથી ઓન. સેક્રેટરી તરીકે સેવા આપે છે. બેઓ ગેઈન એન્ડ સીઝ એસેસિયેશન વગેરે સંસ્થાઓમાં તેમની સેવા પડેલી છે. શ્રી ગઢડા મહાજન પાંજરાપલને માનદ મંત્રી તરીકે, માંડવા કેળવણું સમાજના ટ્રસ્ટી તરીકે, ગઢડા કેળવણી સમાજના ટ્રસ્ટી તરીકે, ઈસ્ટ ઈન્ડિયા કેટન એસેસિયેશનના ડાયરેકટર તરીકે ઘણાં વર્ષો સુધી સેવા આપેલ. ઘોઘારી દશા શ્રીમાળી જ્ઞાતિની મેનેજિંગ કમિટીમાં વર્ષોથી સેવા આપી રહ્યા છે. તેમનાં ધર્મપત્ની કલાવતીબહેનના જન્મદિવસ નિમિત્તે હિમણાં જ ગયે વર્ષે માધવનગર મુકામે સૌ નેહીઓને બેલાવી જન્મ દિવસ સારી રીતે ઊજવ્યો અને સારી રકમનાં દાન જાહેર કર્યા. ગઢડા સ્થાનકવાસી જૈન ઉપાશ્રયના હેલનું બાંધકામ ૩૪ ફૂટમાંથી ૬૮ ફૂટ સુધીનું બનાવવામાં પોતાના તરફથી તેમ જ બહારના ગઢડાના ભાઈ એ તરફથી સારી મદદ મેળવીને બનાવરાવ્યો. દશાશ્રીમાળી જ્ઞાતિ ગઢડામાં સુધારો કરી આધુનિક સાધન વસાવવામાં સક્રિય ભાગ લીધે. ગઢડામાં કુળદેવી ચામુંડા માતાજીની મૂર્તિ પધરાવી પ્રતિષ્ઠા કરાવી. ચોરાશી જમાડવા વગેરે કામમાં તન, મન, ધનથી મદદ કરી. જલાલપુર-માંડવામાં માતુશ્રીના નામને જેન ઉપાશ્રય બંધાવેલ છે. ગઢડા મહાજન પાંજરાપોળના વહીવટને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy