________________
૫૪૦ ]
[ આપણું શ્રેષ્ઠ શ્રી જયશંકર ભીખાલાલ ઉપાધ્યાય, ભેદ
પુરુષાર્થ એ જ જીવનને ઉત્તમ માર્ગ છે. જીવનને જીવી જાણવું હોય અને જીતી જાણવું હોય તે પુરુષાર્થવાદી બને. મુ. શ્રી જયશંકરભાઈને જીવન-સંદેશ કંઈક આવું કહી જાય છે.
સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મહિયલ ગામના વતની મુ. જયશંકરભાઈને જન્મ ઈ. સ. ૧૯૧૫માં થયો હતો. ૧૫ વર્ષની ઉંમરે વ્યાપારમાં પરોવાયા પછી તેમણે સમગ્ર વ્યાપાર ક્ષેત્રમાં નાની–મોટી અનેક પેઢીઓ સાથે સંબંધ સ્થાપિત કર્યો. - તલેદની ઘણીબધી સંસ્થાઓ પર એમનું પ્રભુત્વ છે. આર્ટ્સ અને કેમર્સ કેલેજમાં એમણે સારું એવું દાન કરી ટ્રસ્ટી બનેલા બહેરા-મૂંગા શાળામાં પણ અગત્યનો ફાળો આપે છે. તલેદની નાગરિક બેંકના ચેરમેનપદે રહ્યા. તેમ જ તલોદ વિવિધ કાર્યકારી સહકારી મંડળીના ચેરમેન તેમ જ સાબરકાંઠા વિદ્યાલયના ઉપપ્રમુખ તરીકે ઘણું બધી સેવાઓ એમણે આપી છે.
કેઈપણ અઘરું કાર્ય એમના માટે સાવ સહજ બની જતું. ક્યારેય કઈ કામમાં વિલંબ નહીં, આળસ નહીં, પરંતુ જે કાર્ય હાથમાં લીધું એને ચીવટપૂર્વક પાર પાડવું એ જ એમના જીવનનું
દયેય હતું.
મહારાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન અને આંધ્રપ્રદેશની યાત્રાઓ પણ કરેલી છે. પત્ની અનસૂયાબેન પણ એમની જેમ જ ખંત, સાદાઈ, શ્રમ અને સ્વાલંબનથી જીવન જીવવામાં માને છે.
શ્રી જયંતિલાલ નાનચંદ ડેલીવાલા ઘણું જ ઔદાર્ય અને સંસ્કારસંપન્ન શ્રી જયંતિભાઈ ગઢડા (સ્વામીન)ને મૂળ વતની છે. ૧૯૭૪ના પિષ વદિ અમાસને દિવસે તેમને જન્મ થયે. પાંચ ગુજરાતીને જ અભ્યાસ પણ વિવિધ ક્ષેત્રે તેમની વિશિષ્ટ સમજણ અને કાર્યકુશળતાનાં તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org