________________
અભિવાદનગ્રંથ ]
[ પ૩૯ મહેતા જયંતભાઈ નૌતમલાલ ભાવનગરમાં શ્રી નૌતમલાલભાઈએ સેવા-જીવનની જે પગદંડી ઊભી કરી તે જ રહે ચાલતા અને શક્ય હોય ત્યાં સામાજિક સેવા કાર્યોમાં ઉપયોગી થઈ કરી છૂટવાની ભાવના ધરાવનાર શ્રેષિશ્રી જયંતભાઈ મૂળ રાજકેટ તરફના વતની પણ ઘણાં વર્ષોથી ભાવનગરને વતન બનાવ્યું છે.
આઝાદીની ચળવળથી માંડીને રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં આ પરિવારને વિશેષ રસ અને રુચિ.
ભાવનગરની સહકારી હાટ મધ્યસ્થ ભંડાર લિ. ની વ્યવસ્થાપક કમિટીમાં સભ્ય તરીકે, રોટરી કલબ ભાવનગરના સભ્ય તરીકે, સેવા પડેલી છે.
- ૧૯૫૫માં મુંબઈ સ્ટેટ ઇલેકટ્રિકસીટી બેર્ડના ફાઉન્ડેશન કામથી ઘણું જ અનુભવ વગેરે મેળવ્યા- ૧૯૭૨માં કેનેડા-અમેરિકાની મુલાકાત લીધી-સાદાઈથી જીવન જીવવાની કળા તેમના પિતાશ્રી પાસેથી મેળવી–આજુબાજુમાં કે સગાસંબંધીના કેઈપણ કામમાં તકલીફમાં કાયમ મદદરૂપ થતા રહેવાની એક ગજબની ધૂન-લગની સેવા ભાવનાના ઉમદા વિચારેએ તેમને વિશાળ સમૂહમાં સૌના પ્રીતિપાત્ર બનાવ્યા છે.
શ્રી જયંતિલાલ જે. શાહ, હિંમતનગર
શહેરના અગ્રગણ્ય સામાજિક કાર્યકર અને હિંમતનગર નાગરિક સહકારી બેંકના હાલના ચેરમેનશ્રી છે. સાબરકાંઠા જિલ્લા નાગરિક સહકારી બેંકસ એસોસિયેશનમાં વર્ષો સુધી પ્રમુખ તરીકે સેવા આપી છે.
ઇન્ડિયન રેડકેસ સાસાયટીના ઉપપ્રમુખ છે. હિંમતનગર વેપારી મહામંડળના પ્રમુખ છે. સદાય હસતા-ખંતીલા જયંતિભાઈએ વ્યાપારી આલમમાં સારી એવી ચાહના મેળવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org