________________
અભિવાદનગ્રંથ ]
[ પર ખૂબ આરાધના કરવી. ચતુર્વિધ સંઘ ભેગો થયો. શ્રીસંઘની હાજરીમાં જ સમાધિપૂર્વક દેવલોક પામ્યા. શ્રીસંઘે બેન્ડવાજા સહિત તેઓની સ્મશાનયાત્રા કાઢી. શેઠ અનેપચંદ તથા શેઠ ચુનીલાલના સુંદર ફટાઓ આજે પણ ભરૂચ સંઘની પેઢીમાં છે તથા તેમની આરસની પ્રતિમાઓ બનાવીને મૂકી છે. આજે પણ સાધુ ભગવંતે તથા ભરૂચને શ્રીસંઘ તેમને આદરપૂર્વક યાદ કરે છે.
શ્રી જયંતભાઈ માવજીભાઈ શાહ - સાધારણ પરિવારમાં જન્મ લઈ શ્રી જયંતિભાઈ આપબળે પિતાને મળેલા ટાંચાં સાધનેને સંપૂર્ણ પણે સદ્ઉપયોગ કરી શિક્ષણક્ષેત્રે આગળ વધ્યા. દિવસના ૨૦ કલાક જેટલે પરિશ્રમ કરી શ્રેષ્ઠ ગુણો સાથે ૧૯૫૨ માં બી. કેમ.ની પદવી પ્રાપ્ત કરી. જીવનમાં કાંઈક કરી છૂટવાની તમન્નાવાળા શ્રી જયંતભાઈ ૧૯૫૫માં સી. એ. થયા અને મુંબઈમાં કાલબાદેવી રેડ ઉપર જયંત એમ. શાહ નામની કંપની શરૂ કરી. બાલ્યકાળથી જ ધર્મપરાયણ કુટુંબના ઉચ્ચ સંસ્કારે તેમને વારસામાં મળેલા એટલે કેળવણી અને ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ છેક બચપણથી ખેંચાયા. એક સજજન પુરુષમાં હોવા જોઈતા સદ્ગુણેને તેઓશ્રીમાં સંપૂર્ણ પણે સમન્વય થયેલ છે. માતાપિતાના ઉત્તમ સંસ્કારની પ્રાપ્તિ અર્થે તેઓશ્રી હમેશાં દાનને પ્રવાહ સતતપણે વહેવડાવતા જ રહ્યા છે. તેમના નેતૃત્વ હેઠળ કેળવણીનાં અનેક કેન્દ્રો વિકસતાં જ રહ્યાં છે. એમના માર્ગદર્શન ને રાહબરી હેઠળ ઘણી સંસ્થાઓ, સામાજિક અને ધાર્મિક ટ્રસ્ટે પ્રગતિને પંથે પ્રયાણ કરી રહ્યાં છે. એડિટર તરીકેનું તેમનું સંચાલન ખરેખર તેમના નામને યશનામ કરે છે. જૈન સમાજમાં તથા વ્યાપારી જગતમાં તેઓશ્રી એક જાણીતા વ્યક્તિ છે. સ્વ. પિતાશ્રીની પુણ્યતિથિમાં રૂા. ૨૫૦૦૦ જેટલી વિપુલ ધનરાશિ શ્રી મહાવીર જૈન વિદ્યાલયને આર્થિક સંકડામણ અનુભવતા છે. ૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org