________________
પર૮ ].
[ આપણું શ્રેષ્ઠીવર્યો આમ કવિ, લેખક, પત્રકાર અને સામાજિક કાર્યકર તરીકેની વિવિધ પ્રતિભા ધરાવતા શ્રી ચીમનલાલ કલાધર માત્ર જૈન સમાજના જ નહિ, સારી ગુજરાતી આલમના ગૌરવરૂપ છે તેને અમને અત્યંત આનંદ છે.
શ્રી ચુનીલાલ રાયચંદ શેઠ ચુનીલાલ રાયચંદ એ શેઠ અનુપચંદના જમાઈ થાય અને તેમના અવસાન બાદ ભરૂચ દેરાસરેને વહીવટ તેમણે સંભાળ્યો. તેઓ જીવન પર્યત જૈન ધર્મ ફંડ પેઢી (ભરૂચ) તથા મુનિસુવ્રત સ્વામી જૈન દેરાસર પેઢી ભરૂચના પ્રમુખ રહ્યા. તથા ગંધાર જેન તીર્થ તથા ભરૂચની પાંજરાપોળના પણ તેઓ પ્રમુખ અને મુખ્ય વહીવટકર્તા રહ્યા હતા. ભરૂચ સદાવ્રતમાં પણ તેઓ પ્રમુખ હતા.
શેઠશ્રી ખૂબ જ પ્રેમાળ અને નમ્ર સ્વભાવના હતા. જીવદયાના ખાસ પ્રેમી હતા. તેઓ ચુસ્ત વ્રતધારી શ્રાવક હતા. અને સમય પ્રતિક્રમણ, સામાયિક, દેવસેવા અને તિથિએ પૌષધ અવશ્ય કરતા. તેઓ કદી છૂટા એ ખાતા નહિ. કાયમ વ્રત પચ્ચકખાણ રાખતા.
જ્યાં તેઓ વહીવટ કરતા તે બધી જ સંસ્થાને વહીવટ ખૂબ જ કરકસરથી કરતા. તેમના કામમાં ઉપરોક્ત સંસ્થાઓને ખૂબ વિકાસ થયે તથા ભરૂચમાં દેરાસરની સામેની જમીન અગમચેતીપૂર્વક લઈને ત્યાં સુંદર ઉપાશ્રય તથા ધર્મશાળા બંધાવી. આજે તેમણે વસાવેલી જમીન ભરૂચ સંઘને ખૂબ જ ઉપયોગી અને આશીર્વાદરૂપ થઈ પડી છે. તે જ જગ્યામાં હવે નવી ધર્મશાળાઓ વિ. બંધાશે. તેઓ લગભગ વ્યવસાયમાંથી નિવૃત્ત થઈને માત્ર સંસ્થાઓની સેવાની પ્રવૃત્તિ કરતા હતા. સાધુસંતોની ખૂબ જ ભક્તિ કરતા તથા સાધુ ભગવંતના ખૂબ જ પરિચયમાં રહેતા. પ. પૂ. આ. રામચંદ્રસૂરીશ્વરજીના તેઓ અનન્ય ભક્ત હતા. સં. ૨૦૨૪માં તેઓ દેવલોક પામ્યા. ઘરેથી બપોરે ૩=૦૦ વાગ્યે વ્યાખ્યાન સાંભળવા ઉપાશ્રયમાં આવવા નીકળ્યા. ઉપાશ્રય પાસે જ ઠોકર વાગતાં પડી ગયા. બેહોશ થયા. ઉપાશ્રય નીચે જ્ઞાન મંદિરમાં તેમને સુવડાવ્યા. સાધુ-ભગવતેએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org