________________
અભિવાદનગ્રંથ ]
[ પ૨૫ શ્રી ચીમનલાલભાઈ એન. સંઘવી શ્રી ચીમનભાઈની જન્મભૂમિ સિહેર. બચપણ ખૂબ જ ગરીબાઈમાં વિતાવ્યું. અભ્યાસમાં આગળ વધવામાં આર્થિક સ્થિતિ ઘણું જ નબળી હતી. વતન સિહોરથી પ્રયાણ કરીને મહાનગરી મુંબઈને કર્મભૂમિ બનાવી. મુંબઈમાં સને ૧૯૫૧ થી તેમણે વ્યાવસાયિક પ્રવૃત્તિની શરૂઆત કરી. શિપિંગ, કલીયરિંગ, ફરવર્ડિગ અને વેરહાઉસિંગના વ્યવસાયમાં પ્રતિષ્ઠા જમાવનાર મેસર્સ હરિલાલ એન્ડ કુ.માં જોડાઈને તેને આગળ લાવવા તનતોડ પ્રયત્ન કરી વ્યાપારી આલમમાં આગવું નામ રાખી શક્યા છે.
ધંધાની સાથે સાથે તેઓ પિતાની સમગ્ર કાર્યશક્તિથી શિપિંગ, કલીયરિંગ, ફેરવડિગ અને વેરહાઉસિંગ એજન્ટ તરીકે સફળ રહ્યા છે. તેમની આ સફળતામાં તેમની જમાના સાથે ચાલતી, બદલાતી વ્યાવસાયિક ચાલને પારખવાની દીર્ધ દ્રષ્ટિએ મહત્ત્વનું કામ કર્યું છે. દેશ અને દુનિયાના વ્યાપાર-ઉદ્યોગને બદલાતા પ્રવાહમાં વ્યાવસાયિક વિકાસ-વાતાવરણ કેવી રીતે જમાવવું તેના તેઓ અભ્યાસી છે. વર્ષોને અનુભવ તેમને તે કાર્યોમાં સફળતા અપાવે છે. તેઓ વધુ ને વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ.
વતન સિહોરને પણ ભૂલ્યા નથી. સિહોરની નાનીમેટી તમામ સેવા પ્રવૃત્તિઓમાં તેઓ હંમેશાં મોખરે રહ્યા છે—ઘણું જ પ્રેમાળ અને કાંઈક કરી છૂટવાની ભાવનાવાળા શ્રી ચીમનભાઈ આપણું ગૌરવ છે.
શ્રી ચીમનલાલ પ્રભુદાસ નવયુગનાં એંધાણ પારખી બહેનને કેળવણી સાથે રેજિંદા ગૃહજીવનમાં પણ કંઈક ઉપયોગી બને એવી તાલીમ આપવી જોઈએ એમ એમના મનમાં વસ્યું. આ ભાવનાને સાકાર કરવા શ્રી મહુવા કેળવણી સહાયક સમાજ સંચાલિત શ્રી જે. પી. પારેખ હાઈસ્કૂલમાં ગૃહકલા વિભાગ માટે રૂા. ૩૦૦૦ ની સહાય આપી તેમ જ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org