________________
પર૪]
[ આપણા શ્રેષ્ઠીવર્યો સંસ્કારસિંચનથી ધાર્મિક અને સામાજિક કાર્યોમાં પણ સમાજસેવા અને અનુકંપાદષ્ટિથી ઉત્તરોત્તર સેવાને ચડતા ગયા.
પ્રખર પુન્યના વેગથી જ ધંધાની ઉન્નતિ સાથે ધાર્મિક, સામાજિક કાર્યોમાં પ્રગતિ સધાય છે. તેથી તેઓશ્રી ધંધામાં ખૂબ ખૂબ વ્યસ્ત રહેલા છતાં આત્મિક, અધ્યાત્મિક સંબંધોને ઉચ્ચ પદ આપતા રહ્યા. વ્યાપાર-ઉદ્યોગક્ષેત્ર ઉપરાંત સામાજિક, ધાર્મિક ક્ષેત્રે પણ તેઓશ્રીએ વિનમ્ર રીતે તેમને ફાળો આપ્યો છે. વડોદરાનાંદેસરી ખાતે એક હોસ્પિટલની સગવડ ગ્રામીણ તેમ જ ઔદ્યોગિક જનતા માટે તેઓશ્રી દ્વારા ફાઉન્ડેશન કરેલ છે જેનો લાભ સેંકડો માણસે લઈ રહ્યાં છે. ધંધાર્થે સમગ્ર વિશ્વની પ્રદક્ષિણા કરી અને છતાં ભારતમાં હોય કે અમેરિકામાં, સુદેવ, સુગુરુ, સુધર્મ સાથે જ રહ્યા છે. અને તેથી જ તેમનું વ્યક્તિત્વ નિરાળું ભાસે છે. કેમિકલના વ્યાપારિક ક્ષેત્રે અનમેદનીય નામના મેળવીને બે દાયકાના કેમિકલ મારકેટના બહેળા અનુભવ પછી સને ૧૯૭૦માં ઉદ્યોગક્ષેત્રે પદાર્પણ કર્યું. સખ્ત પરિશ્રમ બાદ દીપક નાઈટ્રેટ તેના ઉત્પાદન ક્ષેત્રની દશાબ્દી ૧લી એપ્રિલ ૧૯૮૩માં ઊજવી.
- ૧૯૮રની દિવાળી સૌરાષ્ટ્ર માટે વાવાઝોડાના ઝંઝાવાતથી ખૂબ જ કાજળઘેરી બની રહી ત્યારે દીપક ચેરીટેબલ ટ્રસ્ટની ત્વરિત સ્થાપના કરી અને જુદા જુદા પ્રોજેકટ દ્વારા પડાયેલ આત્મિકેને શાતા બક્ષી. રહેવાનાં ઘર, ખેડૂતે તેમ જ માલધારીઓને હજારની સંખ્યામાં પશુઓનું પુનઃસ્થાપન, ગામે ગામ જઈ વાસણો, રેશન, વ વગેરેનું વિતરણ લાખોને હિસાબે કર્યું. વહીવટી સૂઝ અને ત્વરિત કાર્ય કરવાની કુનેહ આપણે આ શ્રેષ્ઠીવર્યમાં છે. તેને લાભ સમાજને અવિરતપણે મળતા રહે એ જ અભ્યર્થના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org