SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ પર શ્રી ચીમનભાઈ અત્યારે શ્રી ગોરેગાંવ ઘોઘારી જૈન મિત્ર મંડળના પ્રમુખ તરીકે, શ્રી ઘંઘારી જૈન સેવા સંઘના કારોબારી સભ્ય તરીકે, શ્રી પાલીતાણા ઘોઘારી વસા શ્રીમાળી જૈન સમાજ, મુંબઈના કારેબારી સભ્ય તરીકે, જેન સેશ્યલ ગ્રુપ ઓફ મલાડ એન્ડ ગેરેગાંવના કારોબારી મેમ્બર તરીકે સક્રિય સેવા બજાવી રહ્યા છે. આ ઉપરાંત ગેરેગાંવ જવાહરનગર જૈન વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, જેન જાગૃતિ સેન્ટર-કાંદીવલી અને પ્રગતિ મંડળ કે-એપ કન્ઝયુમર્સ સોસાયટીના કારોબારી સભ્ય તરીકે તેઓ સેવા આપી ચૂક્યા છે. જૈન સેશ્યલ ગ્રુપ ઓફ ફેડરેશનના ઉપક્રમે યોજાયેલ અમેરિકાના પ્રવાસે પણ તેઓ જઈ આવેલ છે. - તેમની વિકાસયાત્રામાં તેમનાં ધર્મપત્ની નિર્મળાબહેનને તથા તેમના સુપુત્રો રાજેશ, ભાવેશ, અને સુપુત્રી કલ્પનાએ ઉષ્માભર્યો સહયોગ આપે છે, આપી રહ્યાં છે. શ્રી ચંપકલાલ મોહનલાલ પટણી મૂળ સૌરાષ્ટ્રમાં આવેલા સિહોરના વતની પણ અરધી સદી પહેલાં મુંબઈમાં પગ મૂક્યો અને પુરુષાર્થ કરીને વ્યાપારમાં પ્રગતિ તથા ધર્મકાર્યમાં યશકીતિ પામ્યા. શરૂઆતમાં મુંબઈમાં-મૂળજી જેઠા મારકેટમાં નેકરીથી જીવનની કારકિર્દી શરૂ કરી. નિષ્ઠા, પ્રમાણિકતા અને ચીવટને કારણે કુદરતે તેમને યારી આપી. કાપડ લાઈનમાં પછી સ્વતંત્ર દુકાન કરી અને તેમાં ક્રમે ક્રમે એકધારી પ્રગતિ થતી રહી – ઘણું જ પરગજુ અને સેવાભાવી વૃત્તિવાળા શ્રી ચંપકલાલભાઈ યાત્રાથે ભારતનાં ઘણાં તીર્થસ્થાને જઈ આવ્યા છે, ખાસ કરીને રાજસ્થાનમાં. મુંબઈમાં તારદેવ વિસ્તારમાં જૈન મંદિરમાં શરૂઆતથી જ તેમની સેવા પ્રશંસાપાત્ર રહી છે. ગેડીઝ જૈન મંદિરમાં પણ ટ્રસ્ટી તરીકે સારું કામ કરી રહ્યા છે. ઘોઘારી વસા ઓસવાળ સમાજમાં તેમનું માનપાન પ્રથમ હરોળમાં રહ્યું છે. ગુખ દાનના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy