________________
અભિવાદનગ્રંથ ]
[ પર રનને ઢગલો, તેમ શ્રી ભણસાલી ગમે તેને ગમે તે સ્થળે સહેજમાં લાખ રૂપિયાના વીમાઓ ઉતારી દે છે, એમ કહેવામાં અતિશક્તિ નથી.
વાવ, કૂપ અને જલાગારને ઇતિહાસ ભૂતકાળનાં સ્વપ્નાં બને તે પહેલાં મુરબી શ્રી કનીભાઈએ “જળ પ્રપાગૃહ” નું અનેરું
સ્થાન જમાવી દીધું. બનાસકાંઠાની લૂખી સૂકી, તપી ધરા પર અમૃતપાન સમ “પાણીની પરબ”ના પ્રણેતા એટલે માનનીય શ્રી કનીભાઈ અનેક નિરાધાર વિધવા-ત્યકતાને આશરે. “પાણીની પરબ” અને એને આધાર એટલે કનીભાઈ. આ અસહાયેના અંતરના આશીર્વાદથી તે માનનીય શ્રી કનીભાઈ દિનપ્રતિદિન નવયૌવન પ્રાપ્ત કરી સિદ્ધિઓને વરસાદ વરસાવે છે. સેવા તેમને જીવનમંત્ર અને સેવા જ તેમના જીવનનું બળ છે. બચપણમાં સેવેલાં સેવાનાં સ્વપ્નાં સાકાર થયાં છે. શ્રી કનીભાઈ એટલે નિર્દોષ, નિર્ભેળ, નીડર, નિખાલસ, નિરાડંબર અને નિષ્ઠાવાન સમાજસેવક. અહર્નિશ નીતરતો ઉત્સાહ, પારસમણિ શી અજબ શક્તિ, શુદ્ધ ચારિત્ર, સુસ્વાથ્ય દયા અને માનવતાની પ્રતિમૂતિ એટલે કનભાઈ ખરેખર સજીવ કેપ્યુટર” છે. કનીભાઈ માનવી નહીં, “માનવ” છે. અડગ દિલના આદમીના સંકલ્પ આગળ હિમાલય પણ માગ કરી આપે છે. એવા શ્રી કનીભાઈએ જીવનમાં નિષ્ફળતા નીરખી નથી. તેમનું જીવન એટલે સંસ્કાર, સત્ય, સેવા, સદ્દવિચાર, સદ્દભાવ અને સત્કાર્યને અમર ઝરે. ભારતીય સંસ્કૃતિને જીવંત પ્રણેતા છે.
- -- — શ્રી ખાંતિલાલ ફતેચંદ શાહ, ભાવનગર
ત્રણ ત્રણ વર્ષના કારમાં દુષ્કાળમાં મૂંગા જાનવર પ્રત્યે દયાની લાગણીથી શ્રી ભાવનગર પાંજરાપોળ સમઢિયાળામાં મંત્રી તરીકે જોડાઈને મહામૂલાં, કાર્યો કરી નિઃસ્વાર્થ ભાવે, તન-મન અને ધનને ભેગ આપી લાખો અબોલ જાનવરોને મોતના મુખમાંથી બચાવવાનું ભગીરથ કાર્ય કરી પુણ્યનાં પિટલાં બાંધ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org