________________
અભિવાદનગ્રંથે ].
[ પા1 અવસરે હરામ કર્યા છે. અજોડ શ્રદ્ધાબળ, અપૂર્વ કાર્યક્ષમતા અને અનન્ય કેટીનું આત્મસમર્પણ! આ ગુણને ત્રિવેણી સંગમ, જગતને ચરણે કેવી મહામૂલી ભેટ ધરી શકે છે. એ જેવું-જાણવું હોય, તેમણે હસ્તગિરિ તીર્થની મુલાકાત લેવી જ રહી.
હાથીની અંબાડી હાથી જ ઉપાડી જાણે, ધુરા વૃષભ જ વહન કરી શકે, તેમ આ પંચમ કાળમાં આવા ભગીરથ તીર્થોદ્ધારનું કાર્ય કાન્તિભાઈ જેવા શાસનભક્ત કાર્યકર્તાઓ જ કરી શકે, એ પ્રશસ્તિ જ તેમનાં કાર્યોનું સાચું મૂલ્યાંકન છે.
શ્રી કસ્તુરચંદ કે. મહેતા સામાજિક ક્ષેત્રમાં સેવા અને માનવતાના અવિરત પડતા સાદ સૂણીને અંગત જવાબદારીઓ પણ ખંખેરીને સેવાના દ્વારે ખડા થતા સેવાવીરેથી આ સૃષ્ટિ ઉજજવળ થતી રહી છે.
વિકસતા વ્યાપારની અનેકવિધ જવાબદારીઓ ગાજતી હેવા છતાં સવાર-સાંજ કલાક સુધી ગુજરાતી હોસ્પિટલમાં પ્રવૃત્તિમય રહેતા સેવાવીર શ્રી કસ્તુરચંદ કે. મહેતા સેવાજીવનનું સુવર્ણ પ્રકરણ આલેખી રહ્યા છે.
સૌરાષ્ટ્રના મોરબી નગરમાં જૈન વણિક પરિવારમાં જન્મ ધરીને પુરુષાર્થ અને પરિશ્રમથી વ્યાપારી આલમમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરનારા શ્રી કસ્તુરચંદભાઈ ઈ. સ. ૧૯૪૬માં મદ્રાસ આવીને કાપડના વ્યાપારક્ષેત્રમાં “ઇસ્ટર્ન એજન્સી ના નામથી ઝંપલાવી આગેકૂચ પામ્યા હતા.
સાહસ અને સ્વપરિશ્રમે જીવનની ઉન્નતિ સાધ્યા પછી આ કર્મવીર શ્રી કસ્તુરચંદભાઈએ સમગ્ર જીવનની શક્તિઓ સેવાક્ષેત્રને સમર્પિત કરી હતી.
- સામાજિક ક્ષેત્રમાં શ્રી ગુજરાતી કન્યા કેળવણી મંડળના કમિટી મેમ્બર છે. શ્રી ઇંગ્લિશ પ્રાયમરી સ્કૂલના કમિટી મેમ્બર છે, શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org