________________
પ૦ ]
[ આપણું શ્રેષ્ઠીવર્યો પ્રકારે અવસરે અવસરે સાત ક્ષેત્રમાં અને આઠમા અનુકંપા ક્ષેત્રમાં તેમણે પિતાની લાખોની સંપત્તિનું વાવેતર કરેલું છે. પૂ. પાદ સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય માનતુંગસૂરીશ્વરજી મહારાજની પુન્યનિશ્રામાં સિદ્ધક્ષેત્રમાં તેમણે લગભગ ૧૫૦ સાધર્મિક બંધુને ચાર્તુમાસ અને ૨૦૦ સાધર્મીક બંધુને નવ્વાધ્યાત્રા કરાવવાનું પુણ્ય ઉપાર્જિત કર્યું છે. પાલીતાણામાં મુક્તિનિલય ધર્મશાળા, અમેરિ વિહાર પિૌષધશાળા તથા શેઠશ્રી સરદારમલજી પૌષધશાળાના તેઓ પ્રણેતા છે. પિતાની જન્મભૂમિ પાટણમાં અનેક ધર્મસંસ્થાઓમાં તેમણે તનમન-ધનથી પિતાની સેવા આપી છે. પણ જ્યારથી શ્રી હસ્તગિરિ તીર્થોદ્ધારના કાર્યને પ્રારંભ થયો ત્યારથી તે બધાં જ ક્ષેત્રમાંથી પિતાને ખેંચી લઈને, પોતાની શક્તિને સંચય તેમણે એકમાત્ર હસ્તગિરિમાં જ કેન્દ્રિત કર્યો છે
શ્રી હસ્તગિરિ તીર્થની ભક્તિ એ તેમના જીવનના સઘળાં ધર્માનુષ્ઠાનમાં શિખર ઉપરના કળશ સમાન છે. શ્રી હસ્તગિરિ તીર્થોદ્ધારક સ્વ. પૂ. આ. માનતુંગસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી અને પ્રવચન પ્રભાવક પૂ. આ. શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદથી તેમણે જ્યારે આ તીર્થોદ્ધારના કાર્યની શરૂઆત કરી ત્યારે આ મહાન કાર્યની આટલી બધી કષ્ટસાધ્યતાની કદાચ તેમણે કલ્પના પણ નહીં કરી હોય ! જેમ જેમ કાર્યમાં ઊંડા ઊતરતા ગયા તેમ તેમ કાર્યની ભગીરથતાને ખ્યાલ આવતો ગયે. તેમની કાર્યક્ષમતા કસેટીએ ચડી, ધૈર્યનાં પારખાં થવા માંડ્યાં અને સત્ત્વશીલતા સામે પડકાર ઊભો થયો. વિદનની ઝડી વરસવા માંડી, પણ પિતાની અખૂટ ધીરજ, સત્ત્વ, શ્રદ્ધા, વ્યવહારકુશળતા, દૂરંદેશી આદિ ગુણોના બળે અને સૌથી વધારે તે ગુરુ ભગવંતના આશીર્વાદ, તીર્થનું અપૂર્વ માહામ્ય, શાસનદેવની કૃપા અને શ્રી ચતુર્વિધ સંઘના સંપૂર્ણ સહકારથી એક પછી એક વિપ્નમાંથી પાર ઊતરતા ગયા અને પરિણામે કલ્પનાતીત અજોડ કાર્યની સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા.
આ તીર્થોદ્ધારના કાર્યમાં તેમણે પિતાની સંપત્તિને સદ્વ્યય કર્યો છે. ભૌતિક સુખોને લાત મારી છે. ભેજન અને નિદ્રાને પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org