________________
૫૦૮ ]
| આપણા શ્રેષ્ઠીવર્યો નિયરિંગ કું.” નામની એલ્યુમિનિયમ સ્લીટિંગની ચાલુ ફેકટરી ઘાટકેપરમાં ખરીદી. ૧૯૮૮માં ન્યુ બેઓના પ્લેટમાં ૨૦, ૦૦ સ્કવેર ફીટને શેડ બાંધી “શેઠ સ્ટીલ પ્રોસેસર્સ” નામથી અદ્યતન ડીકેઈલિંગ પ્લાન્ટ શરૂ કર્યો.
૧૯૮૪થી એક નવું ક્ષેત્ર ખેડ્યું છે. “વેગ રત્નાકર” નામના અતિ પ્રાચીન આયુર્વેદિક ઉપચારના જૈન ગ્રંથની હસ્તપ્રત પરથી હરસ-મસા, ભગંદર, પથરી, કમળો, ટી.બી. દમ વગેરે મહાવ્યાધિઓ માટે આયુર્વેદિક ઉપચાર વિકસાવ્યા છે જે અસરકારક સાબિત થયા છે. આ રોગોની દવા “શેઠ એન્જિનિયરિંગ વર્કસ”, ભાયખલાના યુનીટમાંથી દર મંગળવાર અને ગુરુવારે સાંજે ૫ થી ૭ વિનામૂલ્ય આપવામાં આવે છે તેમ જ “લાયન્સ ક્લબ ઓફ વિદ્યાવિહારની શિબિરમાં દર મહિનાના બીજા શનિવારે સાંજે ૪ થી ૭ એસ. એન. ડી. ટી. કેલેજ, કામાલેન ઘાટકેપર (વેસ્ટ)માં પણ તેમના તરફથી વિનામૂલ્ય આપવામાં આવે છે. હજારે દર્દીઓ સાજા થયા છે. આ ધ છે તેમને મન વિશિષ્ટ લાભકારક છે.
આ “શેઠ ગ્રુપ”ના આધારસ્તંભે શ્રી કાન્તિલાલ સી. શેઠ B.com. LL.B. સેક્રેટરી, શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ-પાલીતાણા; પ્રેસિડેન્ટ, લાયન્સ ક્લબ ઓફ વિદ્યાવિહાર (૧૯૮૧-૮૨) ઝેન ચેરમેન લાયન્સ ઇન્ટરનેશનલ, ડિસ્ટ્રીકટ ૩૨૩-એફ ટ્રસ્ટી, શ્રી પાલીતાણા ઘોઘારી જૈન સમાજ-મુંબઈ એડવાઈઝરી કમિટિ મેમ્બર, શ્રી ઘોઘારી જૈન સેવા સંઘ, મુંબઈ. શ્રી હિંમતલાલ સી. શેઠ શેઠ એન્જિનિયરિંગ વર્કસના પ્રણેતા અદ્યતન મશીનની ડિઝાઈનના અભ્યાસ અર્થે ઇગ્લેન્ડ-જર્મની વગેરે વિદેશ પ્રવાસ કર્યો. અને એવા જ મશીને અહીં બનાવ્યાં. શ્રી મહેન્દ્રભાઈ સી. શેઠ, B.com. વર્કશોપ મશીન અંગેની ટેકનીકલ કુશળતા અને વહીવટીય દક્ષતા ધરાવે છે. “શેઠ ગ્રુપ”ના આ આધારસ્તંભે જીવનને આ બધા વિકાસ તેમના પિતાશ્રી સ્વ. શ્રી. ચુનિલાલ દામજીના આશીર્વાદથી તથા પૂજ્ય પિતાશ્રીના મામા સ્વ. શ્રી મેહનલાલ જસરાજ શાહની હૂંફ અને પ્રેરણાને આભારી ગણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org