________________
૫૦૬ j
( આપણા શ્રેષ્ઠીવર્યા
આપી છે તથા તેમના પિતાશ્રીના સ્મરણાર્થે બસસ્ટેન્ડ પાસે પાણીનું ખૂબ સુંદર પરમ બધાવી આપેલ છે.
-
સ્વ. શેઠશ્રી કાન્તિલાલ ચીમનલાલ શાહ
પુષ્પનુ. મૂલ્ય એની ઉંમરથી નહીં, એની સૌરભથી થાય છે. સ્વ શેઠશ્રી કાન્તિલાલ ચીમનલાલ શાહ ( કૈલસાવાળા) ૮૬ વર્ષની ઉંમરે તા. ૧૩-૨-૮૭ના રાજ અવસાન પામ્યા, ત્યાં સુધી સતત સત્કાર્યની સૌરભ પ્રસારાવીને ભર્યું ભર્યું જીવન જીવ્યા છે. પુષ્પને અંજલિ શી રીતે આપી શકાય ? શબ્દોનું માધ્યમ ત્યાં ઊણુ જ ઉતરે ને! નાન-મેટ્રિક સુધી અભ્યાસ કરીને, નીટેક્ષ હેઝિયરી તથા રેલવે કોન્ટ્રેકટ અને સ્ટીમ કાલના વ્યવસાયમાં વ્યસ્ત બનેલા આ મહામાનવે સમાજનાં બહુવિધ ક્ષેત્રાને જતનથી ઉછેર્યાં છે. શેઠ આ. ક.ની પેઢી ( ઉપરિયાળા તીથ ), શ્રી વસ્તુપાળ તેજપાળ જૈન ચેરીટી ટ્રસ્ટ ( કુંડલીક તી`), શ્રી નવરંગપુરા જૈન વે. મૂ. પૂ. સંઘ વગેરેના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે, ધોળકા એજયુકેશન સોસાયટી અને કૃષ્ણનગર જૈન શ્વે. મૂ. પૂ. સંઘના ચેરમેન તરીકે ઉપરાંત શાંતિચંદ્ર સેવા સમાજ, અમદાવાદ, પાંજરાપાળ, ભોજનશાળા જેવી અનેક સસ્થાઓમાં ટ્રસ્ટી-કમિટી મેમ્બર તરીકે રહીને એમણે ઉદાર સખાવતથી એ દરેક સંસ્થાની સંનિષ્ઠ માવજત કરી છે. અનાથાલયા, બહેરાં–મૂગા બાળકાની સંસ્થા, રક્તપિત્તિયાં માટેની સસ્થા, વૃદ્ધાશ્રમ, માનસિક પછાત બાળકા માટેની સસ્થાઓ અને સમાજને ઉપયાગી અનેક સેવાભાવી સસ્થાએ આજે શ્રી કાંતિલાલને તથા તેમના પિરવારને યાદ કરી રહી છે. એમણે રાહતકાર્યની નિઃસ્વા ભાવે આગવી પરંપરા સ` હતી. પદ્મ કે પ્રતિષ્ઠાની વામણી અપેક્ષા આ મૂલ્યનિષ્ઠ મહામાનવે કયારેય સેવી ન હતી.
જીવનમાં તેઓશ્રીએ અનેક દાન કર્યાં છે. સેવાપરાયણ અને બીજાના સહૃદયીની ભાવનાવાળા હેાવાથી તેઓ આજે પણ સમાજમાં આદરણીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org