________________
અભિવાદનગ્રંથ ]
[ ૧૦૩ હતા. એમના ઘરનું આંગણું જ પ્રજાપરિષદ ગણાતી. ૧૯૫૨-૫૭માં સૌરાષ્ટ્રની ધારાસભામાં તેઓ રાજુલા-જાફરાબાદ વિભાગમાંથી ચૂંટાયા હતા. ૧૯૫૬-૬૦ સુધી તેઓએ ભાવનગર જિલ્લા કલ બેર્ડને પ્રમુખ તરીકે અને ૧૯૬૦-૬૩ અમરેલી જિલ્લા કલ બેડના પ્રમુખ તરીકે કામગીરી બજાવી વિકાસ પ્રવૃત્તિના પ્રણેતા બન્યા-આદર્શ પંચાયતી રાજ્યના આધારસ્થંભ બન્યા અને ૧૯૬૪-૬૬ સુધી તેઓએ રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કામગીરી કરી. ત્યાગ, ભક્તિ અને નમ્રતાની મૂર્તિ બનીને સૌના માર્ગદર્શક બન્યા. અનેકવિધ ક્ષેત્રે યશસ્વી કામગીરી બજાવી છેલ્લાં વર્ષોમાં રાજકીય નિવૃત્તિ પસંદ કરી અને પિતાના અંગત વ્યવસાય અને સામાજિક પ્રવૃત્તિમાં તેઓ રસ લઈ રહ્યા છે. રણમેદાન અને જીવન સંગ્રામમાં હંમેશાં ખુશખુશાલ જણાતા શ્રી કનુભાઈ સારા વક્તા છે. વકતૃત્વકળા એ એમને ઈશ્વરી બક્ષિસ છે. તેઓ શરીરે ખડતલ અને લોખંડી છે. તેમનું મને બળ ઘણું જ મજબૂત છે. તેમની વ્યવહારિક કુશળતા અને દરેક પ્રશ્નોને અભ્યાસ કરીને નિર્ણય લેવાની શક્તિ અજબ છે. તેમના દરેક વહીવટમાં સૂક્ષ્મ ઈજનેરી સૂઝબૂઝ જોવા મળી. સૌરાષ્ટ્રમાં ગઢડાના નગરશેઠ શ્રી મેહનલાલ મેતીચંદ સારા સમાધાની ગણાતા શ્રી કનુભાઈ પણ અનેક પ્રકારના મતભેદો નિવારીને સમાધાન કરવામાં કુશળ છે. વેપારી વ્યવહારિક અને કૌટુંબિક ઝઘડાઓનું સુખદ સમાધાન કરાવા માટે તેઓ જાણીતા છે. સ્પષ્ટવક્તા અને પિતાને જે ગ્ય લાગે તે કહેવા માટે તેઓ હંમેશાં દઢ રહ્યા છે. ગાંધી પેઢીના આ દુર્લભ પુરુષના વહીવટ દરમ્યાન ભાવનગર અને અમરેલી જિલ્લામાં અનેક લેકે પગી કાર્યો થયા છે જે તેમની કાર્યદક્ષતાના પુરાવાઓ આજે પણ ઊભા છે. આ નખશિખ સજન દાનવીરેના સંપર્કમાં આવીને લોકકલ્યાણની પ્રવૃત્તિ માટે લાખ રૂપિયા જાહેર ફંડમાં ભેગા કરી શક્યા છે. મેસાળને પિતાનું વતન જ માનીને રાજુલા શહેર અને તાલુકાના વિકાસમાં તેમને ફાળે અનન્ય છે. જાહેર જીવનના રચનાત્મક વિચારક અને સેરડી અમિતાને જીવંત પ્રતીક સમા સૌરાષ્ટ્રની મહેમાનગતી જાણીતી છે તે જ રીતે કનુભાઈનું ઘર એ સાર્વજનિક ધર્મશાળા જેવું છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org