________________
અભિવાદનાથ ]
[ ૫૦૧ વધુ માર્કસ મેળવનારને માટે ગુજરાત યુનિવર્સિટીને એક પારિતોષિક પણ તેઓએ આપ્યું છે.
સ્વ. શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ ધર્મભાવના, સેવાભાવના અને દાનભાવનાની આ સર્વમંગલકારી ત્રિવેણુને એમના જીવનમાં સંગમ સધાયે હતો. અનેક ક્ષેત્રમાં સમાજોપકારક સેવાઓ બજાવીને રાજ્યમાન્ય અને પ્રજામાન્ય એક આદર્શ મહાજન તરીકેની કીતિને મેળવી શક્યા હતા.
અનેક વખત વિદેશના પ્રવાસ વખતે પણ ખાનપાનની શુદ્ધિને સાચવી હતી. તેમની જીવનસ્પશી ધર્મશ્રદ્ધા ગજબની હતી. એક સમર્થ યુગ પુરુષ હતા.
જૈન શાસનની પ્રભાવના તથા રક્ષા માટે જે કામગીરી બજાવી હતી તે તેઓની ધર્મપ્રીતિ, સંસ્કારિતા અને માનવતાની યશગાથા બની રહે તેવી છે. અરધી સદી કરતાં પણ લાંબા સમય સુધી જેન સંઘમાં એકછત્રી વર્ચસ્વ ધરાવનાર સર્વમાન્ય મુખ્ય અગ્રણી તરીકે એમણે જે માનમરતબો ભેગ હતું તે તેઓની નિર્મળ ધર્મબુદ્ધિ, દૂરંદેશી અને શાસનસેવાની ઉત્કટ ધગશનું પરિણામ હતું. તેમનું નામ અને કામ જૈન ધર્મ, સંઘ અને સમાજની સેવાના આ યુગના ઈતિહાસમાં સેનેરી અક્ષરોથી અંકિત બની રહે તેવું છે. ઉચ્ચ કોટિના જીર્ણોદ્ધારની અને શાસનને પ્રભાવ વિસ્તરત રહે તે માટેની જે કામગીરી એમણે સફળતાપૂર્વક બજાવી એ આ સદીની જૈન પરંપરાની એક ગૌરવકથા બની રહે તેવી છે. તેમણે પિતાની શક્તિ, સંપત્તિ અને સેવાવૃત્તિની ધર્મક્ષેત્ર તથા કર્મક્ષેત્રના વિકાસ માટે સમાન રીતે વહેંચણી કરી હતી. - દેશના એક ભાવનાશીલ અને આદર્શ મહાજન તરીકે તેઓએ સંકટગ્રસ્ત પ્રજાજનેના સંકટ નિવારણ માટે અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ કરી હતી એ એમની લોકકલ્યાણની સુભગ દષ્ટિની યશગાથા બની રહે તેવી છે. છે. ૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org