________________
પoo |
[ આપણું શ્રેષ્ઠીવર્યો ઉપર બંડી, વિશાળ લલાટ અને તેના પર કાળી વાણિયાશાહી ટોપી; હાથમાં થેલી અને થેલીમાં પુસ્તકે. વો ઇસ્ત્રીદાર નહિ પણ સારી રીતે ધોયેલાં અને ખાં તે ખરા જ. વાત કરે ઉટપટાંગ પરંતુ ધીરજ રાખી તેને સાંભળે તે તમને એમાં અધ્યાત્મજ્ઞાનને નિચેડ દેખાય. ગુજરાતી જ નહિ, વિશ્વસાહિત્યના સાંપ્રત પ્રવાહની તમને ઝાંખી જરૂર થાય.
શહેરમાં સાહિત્ય-રાજકારણ કે સાંપ્રત પ્રશ્નોની સભા હોય કે કેઈ વિચારગેષ્ઠી હોય ને તેમાં પાંચ-પંદર માણસો ભેગા થયા હોય ત્યાં આ ભાઈ જરૂર પહોંચી જાય. બધું સાંભળે, જુએ, પિતાની આગવી સૂઝથી માનવીને તળે અને લાગે કે આ માણસને સારું સાહિત્ય આપવાથી તે વાંચશે તે તુરત થેલીમાંથી પુસ્તકે કાઢીને ભેટ ધરી દે. આ વિલક્ષણ વ્યક્તિ છે, અમદાવાદના ટાઈલ્સના એક વેપારી. એમનું નામ ઓચ્છવલાલ ગોરધનદાસ શાહ. આજે તેમની ઉંમર એંશી વર્ષની હશે. વેપાર સારો છે પણ કેટલાંક વર્ષથી તેઓ ધંધામાં કઈ રસ લેતા નથી. શિષ્ટ સાહિત્યનું કઈ પુસ્તક અપ્રાપ્ય હોય કે કઈ સારા લેખકને તેને સાહિત્યગ્રંથ માટે પ્રકાશક ન મળતા હોય, નાણાકીય મૂંઝવણ હોય તેવા કિસ્સામાં ઓચ્છવલાલભાઈ સામે ચાલીને તેને નાણાંની સહાય આપે. ઓચ્છવલાલભાઈ એ અત્યાર સુધીમાં પોતાની આ પ્રવૃત્તિ દ્વારા લાખ રૂપિયાનું દાન કર્યું હશે. ઓછામાં ઓછા ચારથી પાંચ ટાઈટલ સાથે તેઓ સંકળાયેલા છે. એમને ખબર પડી કે પાતંજલ
ગદર્શન અપ્રાપ્ય છે એટલે એમણે ગુજરાત વિદ્યાસભાને દાન આપી પુનઃ પ્રકાશન કરાવ્યું. ગુજરાત સાહિત્યસભા દ્વારા દયારામના ગ્રંથનું અધિકૃત પ્રકાશન બહાર પડાવવામાં પણ નાણાકીય બેજે ઉઠાવે. સ્વ. ચાંપશીભાઈ ઉદેશીનાં વિચારપ્રેરક લખાણે ગ્રંથસ્થ કરાવી લેકેને સસ્તા દરે આપવાની યેજના તેમણે કરી. જનકલ્યાણને અને સદ્વિચાર પરિવારને તેમણે આપેલાં દાનમાંથી પ્રતિવર્ષ સસ્તા દરની ચાર ચોપડીઓ છપાય છે. ગુજરાત કોલેજના સંસ્કૃત વિદ્વાના લેખે ગ્રંથસ્થ કરવાની યોજનાને પણ તેઓએ સહાય કરી છે. સૌથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org