________________
૪૨ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યાં
પણે પુસ્તકાલય-પ્રવૃત્તિમાં રસ લેતા કર્યાં. અભ્યાસકાળમાં ટૂંકી વાર્તા, નિબંધ આદિ લખીને ગુજરાતનાં પ્રતિષ્ઠિત સામિયકામાં છપાવતા થયા. ગરીબ વિદ્યાર્થીઓને પાચપુસ્તકો મળી રહે તે માટે ટ્રસ્ટો ઊભાં કર્યાં. અમરેલી વિસ્તારમાં જન્માષ્ટમી વખતે ચાલતા જુગારને બંધ કરાવ્યેા. આ માટે ‘પ્રભાકર ' નામનું નાટક લખ્યુ. અને ભજવ્યું.
"
એમની પુસ્તકાલય-પ્રવૃત્તિને અમરેલી બહાર પણ સારા પ્રચાર થયેા. એમણે ગુજરાતી ભાષામાં જ્ઞાનકેષ રચવા માટે મૂન્ય ચિંતકો-કલાકારોનું મંડળ રચ્યું હતુ, પરંતુ દક્ષિણામૂર્તિના ગિજુ ભાઈનું અવસાન થતાં આ પ્રવૃત્તિ આગળ ચાલી નહીં. ગ્રામવિસ્તારનાં બાળકે વિવિધ ક્ષેત્રનું જ્ઞાન પામી શકે તે માટે ૩૮ બાળકેન્દ્રો સ્થાપ્યાં હતાં.
પ્રતાપરાયભાઇ માત્ર શહેર કે પ્રદેશ પૂરતા જ કાર્યરત રહ્યા ન હતા. એક પડિત, કલાકાર, સમાજ-સુધારક તરીકે તેમની નામના ભારતભરમાં થઈ હતી. રેલવે સ્ટેશને કલાત્મક હાવાં જોઈ એ એ ખ્યાલે તેમના મા દર્શનથી જયપુર સ્ટેશન શણગારમાં આવ્યું હતું. તેઓ ને -વેસ્ટ રેલવે એના સભ્ય હતા. એમની શૈક્ષણિક પ્રવૃત્તિએથી પ્રભાવિત થઈ ને દ્વારિકાપીઠના જગદ્ગુરુ શંકરાચાયે` · સંસ્કૃત સેવાભૂષણ ’ ની અને ભારત સરકારે પદ્મશ્રી'ની પદવીથી અલ'કૃત કર્યા હતા. આજે અમરેલીમાં એમના નામની ‘ પ્રતાપરાય આર્ટ્સ કૅલેજ ' ચાલી રહી છે.
,
'
૦ શેઠ ખુશાલદાસ જગજીવનદાસ મહેતા :
ઈ. સ. ૧૮૯૮માં તળાજામાં જન્મેલા ખુશાલદાસભાઈનુ જીવન પુરુષાર્થ ના ભવ્ય ઇતિહાસ છે. કિોરાવસ્થામાં ગોળ-મમરાના લાડવા વેચતા ખુશાલદાસભાઈ એ તળાજા છેડીને મુંબઇને પોતાની ક ભૂમિ બનાવી. દિનપ્રતિદિન પ્રગતિ કરતા રહ્યા. વીસ વર્ષની વયે નાનકડી દુકાનથી શરૂ કરેલા ધંધા જોતજોતામાં કાલી--ફૂલીને વટવૃક્ષ બની રહ્યો. ૧૯૬૬માં તે જે. કે. ચેમ્બર્સ 'નુ નિર્માણ થયું. જીવનભર પુરુષાર્થ કરીને પ્રાપ્ત કરેલી લક્ષ્મીના સદ્યાગ થાય તેવા
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International