SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૪૧ મંજુલાબેન સમા અભ્યાસી અને શ્રી પ્રભાકરભાઈ જેવાં સખાવત કરનારાં રત્ન પાક્યાં છે. સર મનમેહનદાસ રામજી : જાફરાબાદના મનમેહનદાસ આપ-આવડતથી અભ્યાસ કરી આગળ આવ્યા હતા. ૧૮૫૭ અને ૧૮૮૫ની ભારતના ઈતિહાસની બે પ્રભાવશાળી ઘટનાઓના સાક્ષી હતા. ધંધામાં આગળ વધી મિલ ખરીદી. બ્રિટિશ સરકારને પણ હંફાવી કાપડ ઉદ્યોગમાં પિતાની નામના કાઢી. ૧૮૯૮માં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયા. “ઈન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર”, “સ્વદેશી વીમા કંપની”, “શ્રી મુંબઈ ગૌરક્ષક મંડળી”, “રિઝર્વ બેન્ક ઓફ ઇડ્યિા ” ની સ્થાપના કરી. આમ, રાજકારણ, અર્થકારણ, ધર્મ અને સમાજનાં સર્વ ક્ષેત્રમાં એમનું અનેખું યોગદાન રહ્યું. o લક્ષ્મીદાસ પરમાણંદદાસ ભુતા: તે જમાનામાં સમાજમાં કન્યાવિકયનું ભયંકર દૂષણ હતું. લહમીદાસે “કન્યાવિક્રયની ક્રરતા” નામનું નાટક લખ્યું અને કાઠિયાવાડથી મુંબઈ સુધીમાં અનેક શો કર્યા. સામાજિક જાગૃતિ આણી. ભાવનગરથી મુંબઈ સુધીના અનેક મહાનુભાવો પાસેથી માન અકરામ મેળવ્યાં. • ડો. જીવરાજ મહેતા : અમરેલીના જીવરાજભાઈ તેજસ્વી વિદ્યાર્થી અને પ્રખર રાષ્ટ્રીય નેતા તરીકે મુંબઈ ઈલાકામાં અમર છે. સ્વાતંત્ર્યચળવળના સેનાની રહી ચૂકેલા અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અભૂતપૂર્વ વહીવટ ચલાવી ચૂકેલા ડે, મહેતાની સ્મૃતિમાં આજે અનેક ક્ષેત્રમાં રહેવાસહાય માટે ટ્રસ્ટે ચાલી રહ્યાં છે. ૦ પદ્મશ્રી પ્રતાપરાય ગિરધરલાલ મહેતા: અમરેલીના આ સપૂતે જ્ઞાન-કળા-સંસ્કૃતિ આદિ ક્ષેત્રમાં ખૂબ જ નામના કરી. બાળપણથી જ વાચન-મનનના શોખને લીધે મેટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy