________________
o]
[[ આપણા શ્રેષ્ઠીવર્યો
o કરસનદાસ મૂળજી :
ઓગણીસમી સદીના આરંભે ધર્મ અને સામાજિક રીતરિવાજે સામેના સુધારાનાં આંદોલને જાગ્યાં, તેમાં વીર નર્મદના મિત્ર તરીકે કરસનદાસ મૂળજીનું નામ મોખરે છે. સૌરાષ્ટ્રના મહુવા પાસેના વડાલ ગામના વતની અને મુંબઈને પિતાની કર્મભૂમિ બનાવનાર આ ભડવીરે સમાજસુધારાને ઝંડે ઊંચક્યો અને “મહારાજ લાઈબલ કેસ” જેવાં જલદ પગલાંઓથી છેક યુરોપની ભૂમિ પર તેનું નામ જાગતું થયું હતું. વિધવાવિવાહ, બાળલગ્ન, પરદેશગમન, વહેમો આદિ સામે જેહાદ જગાવી. પિતે પરદેશગમન કર્યું. ગુજરાતીમાં મારે ઇંગ્લેન્ડને પ્રવાસ” નામને પહેલા પ્રવાસગ્રંથ આપ્યું. સત્યપ્રકાશ” નામનું છાપું ચલાવી લેકેને સાચે માર્ગ દર્શાવ્યો. o હરખજી મહેતા :
ભાવનગરના ગોહિલ રાજવીઓની રાજધાની સિહોર હતી ત્યારે મહારાજા આતાભાઈના કારભારી તરીકે કુશળ વહીવટ ચલાવ્યો. તીવ્ર ચાણકચબુદ્ધિવાળા હવા સાથે સુદઢ સુભટ્ટ પણ હતા. ભાવનગર રાજ્યને ગાયકવાડ, કાઠી, અને અન્ય રાજ્યોની દરમ્યાનગીરીમાંથી છોડાવીને સુઘડ વહીવટ તળે લાવવામાં મહેતાને ફાળે મુખ્ય છે. • મૂળજી ભવાનીદાસ બારભાયા :
૧૮૫૦માં માંગરોળમાં જન્મેલા મૂળજીભાઈએ ૨૨ વર્ષની વયે સેલિસિટરની પરીક્ષા પાસ કરી. ધંધાની અઢળક આવકને સમાજસેવામાં ઉપયોગ કર્યો. જ્ઞાતિની સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સક્રિય રસ દાખવ્યું, અને મુંબઈ મ્યુનિસિપલ કેપેરેશનના પ્રમુખ અને જે. પી ને માનદ હા પામ્યા. ૦ શામજી ભીમજી મહેતા :
સિહોરની ગોહિલ વંશની ગાદીના કુશળ કારભારી રહીને ભાવનગર રાજ્યના બંદર, વેપાર, ખેતી આદિ ક્ષેત્રને વિકાસ સાધવામાં મુખ્ય ભાગ ભજવ્યું હતું. તેમના વંશમાં પણ સૌ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org