________________
અભિવાદનગ્રંથ ]
[ ૩૯ મેમણ આદિ વેપારી જાતિઓ અને રબારી-ભરવાડ-ચારણ આદિની પશુપાલક જાતિઓ પણ પતતાના ક્ષેત્રે આગવી ભાત પાડતી રહી છે. આ દરેક જ્ઞાતિને પોતપોતાનાં સુદીર્ઘ ઇતિહાસે પડયા છે. એમાં અસંખ્ય નરરત્નોની હારમાળાઓ છે. એમાંથી એકાદ ક્ષેત્રને આલેખવા બેસીએ તે ય ગ્રંથ રચાય તેટલી સામગ્રીઓ સાંપડે છે તે અહીં પ્રસ્તુત કરવામાં આવેલી યાદીઓને તે દરિયામાંથી અંજલિ રૂપ જ ગણી શકાય.
મુખ્યત્વે કાઠિયાવાડની કપોળ જ્ઞાતિ એવી વિશિષ્ટ અને વિરલ જ્ઞાતિ છે. આ જ્ઞાતિમાં વિવિધ ક્ષેત્રે મહાન તિરે પાડ્યા છે. મહાન શ્રેષ્ઠીઓ, ઉદાર સખાવતીએ, સમર્થ ધર્મધુરી, ઉમદા ઉદ્યોગપતિઓ, ઉત્કૃષ્ટ કલાકાર, ઉત્તમ વિદ્વાને, જાજ્વલ્યમાન નારીરત્નથી કપાળ જ્ઞાતિને ઈતિહાસ ભવ્યાજજવળ ગૌરવંતે બનેલ છે. ૦ શા. રૂપજી ધનજી :
પ્રત્યેક રાષ્ટ્ર, જાતિ કે સંસ્થાના કેન્દ્રમાં એકાદ મહાપુરુષ હોય છે તેમ કપાળ જ્ઞાતિમાં શા. રૂપજી ધનજીનું નામ કેન્દ્રસ્થાને છે. દીવ પાસેના ઘઘલા બંદરના વતની, સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં પોર્ટુગીઝ સાથે વેપાર કરતા હતા. પરંતુ મુંબઈને ટાપુ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વહીવટ નીચે આવતાં, ત્યાંના કપાળે મુંબઈ આવી વસ્યા. ૧૯૯૨માં રૂપજી ધનજીએ મુંબઈ આવીને અનાજ વગેરેને જથ્થાબંધ વેપાર શરૂ કર્યો. - શા. રૂપજી ધનજીના વંશજ શેઠ વરજીવનદાસે જે. પી.ની પદવી લીધી હતી. પિતા માધવદાસની સ્મૃતિમાં લાલબાગ નામે જાણીતી જગ્યાએ માધવબાગની રચના કરી, ત્યાં લક્ષ્મીનારાયણનું મનહર મંદિર બંધાવ્યું. આ ઉપરાંત, તેમણે અને તેમના વંશજોએ દવાખાનાં, શાળા-કોલેજો આદિ મેટી મેટી સંસ્થાઓ સ્થાપવામાં અને નિભાવવામાં કરેડો રૂપિયાની સખાવત કરેલી છે. શા. રૂપજી ધનજીના વંશની સખાવત આજે પણ અવિરત ચાલુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org