________________
અભિવાદનગ્રંથ ]
[ ૪૭
તેઓ પ્રીતિપાત્ર અને કૃપાપાત્ર બની શકયા છે. નમ્રતા, દયા, કરુણા, ઈશ્વરશરણુ તેમના ઉજ્જવળ જીવનમાં છૂપા રહી શકતાં નથી.
તેઓ શિહેાર સ'પ્રદાય ઔદિચ્ય અગિયારશે બ્રાહ્મણ જ્ઞાતિના નરરત્ન છે, તેવું અભિમાન સમગ્ર જ્ઞાતિ લઇ રહી છે. જ્ઞાતિને ચરણે મુકાયેલી ત્રણ સંસ્થા – ભાવનગરની ગોદાવરીબા તથામાણેકબા ઔદિચ્ય મહિલા છાત્રાલય; આર. જે. જોષી કેાલેજ હાસ્ટેલ અને સહારનું જે. પી. પાંડચા છાત્રાલય તેના પુરાવા છે.
શ્રી હરિભાઈનાં દાના આજ સુધીમાં લાખા રૂપિયાનાં થયાં હશે, અને તે મેટે ભાગે છૂપાં દાને હોય છે. લગભગ બધી જ માનવ–રાહત–સેવાઓને તેમણે સહાય આપી છે. સિંહારમાં થોડાં વર્ષ અગાઉ થયેલ લક્ષચ'ડી યજ્ઞમાં તે મુખ્ય યજમાન હતા અને તેમાં સારા એવા સહયોગ આપેલા. નાનામોટા ફંડફાળાઓમાં આપેલી દેણગીના કાઇ પાર નથી.
ઉપર જણાવ્યા મુજબ જે ત્રણ છાત્રાલયા હાલ ચાલે છે તેમાં તેમની નાણાકીય મદદ પ્રચુર પ્રમાણમાં છે અને હજુ મળતી રહે છે. હમણાં જ ઘેાડા સમય પહેલાં વલ્લભીપુરના રાંદલમાતાના મરમાં તેમણે મેટી રકમ ખર્ચી હશે. યથાશક્તિ ફાળો આપેલ છે. હાલ તે નિવૃત્તિમાં ધર્મ પરાયણ જીવન દેવલાલીમાં રહીને ગાળે છે અને તેમના પુત્રા વ્યવસાય સંભાળે છે. ધમ એમના જીવનમાં વણાઈ ગયેલા છે. અપવાદરૂપ-અનેખી પ્રતિભા ધરાવનાર શ્રી હરિલાલભાઈ આપણા સૌના સન્માનનીય વ્યક્તિ બનીને આપણી અસ્મિતાને અજવાળી રહ્યા છે.
છે. ૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org