SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૬ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો ચાતુર્માસ અને સાધુ-સાધ્વીઓની ભક્તિને સારે લાભ લીધે હતું. ભમેદરામાં પણ સારી રકમ આપીને શાળાને તેમનું નામ આપવામાં આવ્યું છે. પૂજ્ય યુગદિવાકર આચાર્યશ્રી વિધર્મ સૂરિજીની પ્રેરણાથી સંઘાણી એસ્ટેટના શ્રી પાર્શ્વનાથ છે. મૂ. જૈન સંઘને બહેનેના ઉપાશ્રય માટે રૂા. ૪૧૦૦૦ આપવા ઉદારતા દર્શાવી છે અને તે “શ્રી હરકેર હીરાચંદ પનાંબર આરાધના ભવનનું ઉદ્ઘાટન કાર્તિકી પૂર્ણિમા તા. ૪-૧૧-૧૯૭૯ના રોજ કરવામાં આવ્યું ત્યારે ભાઈશ્રી ભૂપતભાઈ એ બીજા રૂપિયા ૫૦૦૦ની જાહેરાત કરી ત્યારે સંઘમાં આનંદ આનંદ થઈ ગયે. શ્રી હીરાચંદભાઈનાં ધર્મપત્ની શ્રી હરિકેરબેન પણ ધર્મિષ્ઠ અને તપસ્વી છે. ભાઈ ભૂપતભાઈ અને ઇન્દુબહેન એ તેમનાં સંતાને છે. ભાઈ ભૂપતભાઈ પણ સેવાપ્રિય, કુટુંબવત્સલ અને કાર્યકુશળ છે. તેમનાં ધર્મપત્ની શ્રી નિર્મળાબહેન પણ ધર્મપ્રેમી છે. શ્રી હીરાચંદભાઈને આત્મા જ્યાં હશે ત્યાંથી આશીર્વાદ વરસાવતો રહેશે. શ્રી હરીલાલ જટાશંકર ત્રિવેદી શ્રેષ્ઠીવર્ય શ્રી હરીલાલભાઈનું મૂળ વતન ભાવનગર જિલ્લાનું વલ્લભીપુર. જન્મસ્થાન ભાવનગર, મેટ્રિક સુધીને અભ્યાસ મુંબઈમાં, વ્યવસાય આટાને વેપાર. પિતાશ્રીને આ વિકસાવેલો વ્યવસાય પિતાની નાની ઉંમરે શ્રી હરીલાલભાઈએ હાથમાં લઈને પ્રારબ્ધ અને પુરુષાર્થથી વિકસાવ્યા. તેમની માલિકીની હાલ ત્રણ મટી આટાની મિલે બૃહદ્ મુંબઈમાં ચાલે છે. સંસ્કારિતા અને ચારિત્ર્યના બળે તેઓનું સ્થાન મુંબઈના સામાજિક જીવનમાં ઘણું જ આગળ પડતું રહ્યું છે. તેઓએ લક્ષ્મીને સદ્ધપગ બહોળા પ્રમાણમાં કરી જાણે છે. ભાગ્યે જ કોઈ સેવાકાર્ય કરતી સંસ્થા હશે કે જેમને તેઓ મદદગાર થયા નહિ હોય. સહાયભૂત થવાની તકે તેઓ શોધતા ફરતા હોય છે. સંત પુરુષની સેવા કરવી તે તેમની દઢ રુચિ રહી છે. નાના-મોટા સૌના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy