________________
[૪૫
અભિવાદનગ્રંથ ] પ્રમાણિક દલાલ તરીકે તેઓશ્રીનું શુભ નામ મોખરે હતું. વ્યવસાયમાં પ્રગતિ કરવા સાથે સેવાકાર્યોમાં સહાયરૂપ થતા રહીને શ્રી હિંમતલાલભાઈએ આત્માની ઉન્નતિ પણ સાધી હતી. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, આત્માનંદ જૈન સભા, મહાવીર જેન હોસ્પિટલ અને અન્ય સંખ્યાબંધ જૈન સંસ્થાઓની સાથે તેઓશ્રી સંકળાયેલા રહ્યા હતા. સમાજ-સેવાનાં અને ધર્મકાર્યોમાં ઉદાર હાથે દેણગી આપવામાં એમનું નામ ખૂબ જ જાણીતું હતું. દુષ્કાળ સમયે એમણે પ્રશંસનીય સેવા બજાવી હતી. ઉમદા કાર્યોની સુવાસ પ્રસરાવી તેઓશ્રીએ તા. ૨૦-૩–૭ના દિને આ જગતની ચિર વિદાય લીધી. તેઓશ્રીના આત્માને પ્રભુ પરમ શાંતિનું અમૃત બક્ષે એવી પ્રાર્થના કરીએ છીએ.
શ્રી હીરાચંદ પીતાંબરભાઈ શ્રી હિરાચંદભાઈને જન્મ સંવત ૧૯૪૬માં થયો હતે. તેમના પિતાશ્રી શ્રી પીતાંબરભાઈ ભમેદરાના કામદાર હતા. ભમોદરામાં તેમનું વર્ચસ્વ હતું. આખું ગામ તેમને કામદારબાપાના નામથી નવાજતું. શ્રી હીરાચંદભાઈનાં માતુશ્રીનું નામ પુરીબા હતું. તે ૯૫ વર્ષનું લાંબું આયુષ્ય ભોગવી સ્વર્ગે સિધાવ્યાં.
શ્રી હીરાચંદભાઈ એ ડાઘણે અભ્યાસ કરી, નાની ઉંમરમાં તેમના બનેવી શ્રી હરજીવન છગનભાઈની પેઢીના કામકાજ માટે કોચીન ગયા. ત્યાં ૧૭ વર્ષ કામ કરી દેશમાં આવ્યા. મુંબઈમાં શ્રી દીપચંદ કુ.માં આફ્રિકા સાથેનું કામકાજ ૧૫ વર્ષ સંભાળ્યું. ત્યારપછી શ્રી ભૂપતરાય હીરાચંદના નામથી સ્વતંત્ર કમિશન એજન્ટનું કામ શરૂ કર્યું. તેમના પુત્ર ભાઈશ્રી ભૂપતરાયે જવાબદારી ઉપાડી લીધી અને શ્રી હીરાચંદભાઈને નિશ્ચિત કર્યા. આજે તે તેમનું કમિશન એજન્ટ તરીકેનું નામ પ્રખ્યાત છે.
શ્રી હીરાચંદભાઈએ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં એક ઓલરના રૂ. ૧૨૫૦૦ આપ્યા છે. સાવરકુંડલા જૈન વિદ્યાર્થીગૃહને રૂ. ૧૦૦૦ આપ્યા છે. તેમણે પાલીતાણામાં બ. બ. યામા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org