SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૪ ] [ આપણું શ્રેષ્ટાવો પિટીએ પ્રથમ પંક્તિનું સ્થાન લીધું છે. ગુજરાતનાં તમામ બંદરો ઉપર આ પેઢીની શાખાઓ કામ કરી રહી છે. ભણતરમાં નહીં પણ ગણતરમાં કુશળતા પ્રાપ્ત કરનાર શ્રી એચ. કે. દવે સાહેબ બચપણથી જ એક યશસ્વી વ્યાપારી તરીકેનાં લક્ષણ ધરાવતા હતા. જીવનની શરૂઆત જુદી જુદી જગ્યાએ ટૂંકા પગારથી નોકરી દ્વારા કરી. ખંત અને પ્રમાણિકતાથી કામ કરી સૌનાં હૃદય જીતી લીધાં અને બંદરને લગતા કામકાજમાં તથા માલની ઝડપી હેરફેરના કામમાં મન પરોવ્યું. ડી મુશ્કેલીને સામને પણ કરવો પડ્યો અને છેવટે વ્યાપારી આલમમાં સારી એવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. સાહસિકતાને સિદ્ધિ પ્રાપ્ત થાય એવી દઢ પ્રતીતિ એમને થતી રહી. જ્યોતિષના પ્રખર અભ્યાસી તરીકે લેકચાહના પામ્યા હતા. તેમના પુત્ર શ્રી શંકરભાઈ દવે, સ્વ. શ્રી ધનભાઈ દવે, શ્રી દિનકરભાઈ દવે, બે પુત્રીઓ અને અન્ય બહોળું કુટુંબ આજે સુખી છે. તેમની દેણગીએ ભાવનગરનાં સામાજિક કામમાં અને સાહિત્યિક પ્રવૃત્તિઓને મદદરૂપ થવાના એ વારસાને તેમના સુપુત્રાએ જાળવી રાખે છે. સ્વ. શ્રી હિંમતલાલ ડાહ્યાલાલ કોઠારી કર્તવ્ય પ્રત્યે સદાય જાગૃત રહીને તેમ જ સમાજશ્રેય અને ધર્મશ્રેય માટે સદાય પ્રવૃત્ત રહીને કર્મભૂમિ મુંબઈ અને જન્મભૂમિ પાલનપુર પ્રદેશમાં અનેરી સુકીતિ સંપાદન કરી જનાર સત શ્રી હિંમતલાલભાઈના ઉચ્ચ કર્મનિષ્ઠ અને ધર્મનિષ્ઠ જીવનમાં સને ઉત્તમ આદર્શનાં દર્શન થતાં હતાં. તેઓશ્રીને જન્મ પાલનપુરી જૈન જ્ઞાતિના એક ઉચ્ચ ધર્મપરાયણ પરિવારમાં સંસ્કારી માતા-પિતાના ગૃહે સને ૧૯૦૮માં થયું હતું. યુવાન વયે મહાનગર મુંબઈની ભૂમિ ઉપર પદાર્પણ કરીને તેઓશ્રીએ જીવનસંઘર્ષ આરંભ્ય હતે. પ્રગતિ માટેની આકાંક્ષા અને વધવાની તમન્ના સાથે તેઓશ્રી હીરા બજારમાં સારી નામના કમાયા હતા. હીરા બજારના એક સાચા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy