________________
અભિવાદનગ્રંથ ]
[ ૪૯૧
દીકરીએ શિક્ષણ મેળવે છે; જેના બધા જ ખર્ચ તેમનું પેાતાનું ટ્રસ્ટ ભેગવે છે. આ દીકરીઓને ભણાવતી આ હાઈસ્કૂલનું અદ્યતન ભવન, રાજાના પેલેસ જેવું મકાન ભારતભરમાં અજોડ છે. આ મકાન પણ પોતે ખરીદીને હાઇસ્કૂલ માટે અપણુ કરેલ છે. મકાનની અત્તરની સુવિધા ખરેખર બેનમૂન છે.
જામનગર પાંજરાપોળ ટ્રસ્ટના તેએ પ્રમુખ છે. તેમ જ જામનગર શ્રી લેાહાણા વિદ્યાથી ભવન, શ્રી મહિલા વિકાસગૃહ, વિઠ્ઠલદાસ ધનજીભાઈ બાલમંદિર તેમ જ ખીજી અનેક શૈક્ષણિક અને લેાકેાપયોગી સસ્થાઓના દાતા ઉપરાંત સક્રિય સેવક છે. સૌરાષ્ટ્રમાં કહેવાય છે કે બારદાનવાળા શેઠને રેટલે માટે છે, પોતે માત્ર બાજરાના રોટલા અને છાશ-ઢહી લેવા છતાં મહેમાને કે અતિથિએ પેાતાને આંગણે આવે ત્યારે તેમનું આખું યે ઘર ખડે પગે મહેમાનગતિ માટે ઊભું હાય અને ભાતભાતનાં ભાજન પીરસાતાં હેય. મહેમાનેાના ઉતારા માટે ભવ્ય આરામગૃહા તેમણે અંધાવેલ છે. પેાતાના જીવનમાં ધર્માંનાં અનેક કાર્ય લાખા રૂપિયાના ખર્ચ કરતા રહે છે. તેમનાં ધર્મપત્ની અ. સૌ. લીલાવતીબહેન સાક્ષાત્ જગદંબા અને અન્નપૂર્ણાને અવતાર છે. પાતે ઘણાં જ જ્ઞાની અને ઘણા જ નિરભિમાની; દેશમ દે!મ સાહ્યબી છતાં પણ સાદાઈ અને નમ્રતા સૌનું ધ્યાન ખેંચે તેવી તેમની રહેણીકહેણી છે. વેપાર અને ઉદ્યોગના ક્ષેત્રે તેએ ગુજરાતની મેટામાં મેટી ટિન ફેકટરી અને જૂના ડખા—જૂનાં-નવાં બારદાન, મીઠાના અગરે વગેરેનું સફળ સંચાલન કરે છે.
તેઓ ફેડરેશન એક્ ગુજરાત ટિન મેન્યુફેકચરર્સ,ગુજરાત બારદાનવાલા ફેડરેશન અને જામનગર જનરલ મરચન્ટ એન્ડ કમિશન એજન્ટ એસોસિયેશનના પ્રમુખ છે. પેાતાની ૭૧ વર્ષની ઉંમરે દરેક પ્રવૃત્તિનુ* જાતે સફળ સંચાલન કરે છે.
તેમના પરિવારમાં ચાર દીકરા, ચાર વહુએ અને તેમનાં સાથે આજે પણ એક આદર્શ સંયુક્ત
સ'તાનાની લીલી વાડી કુટુંબમાં સાથે રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org