________________
૪૮૮ ]
[ આપણું શ્રેષ્ઠીવર્યો ધન વપરાયું. લડાઈ બંધ થઈ. જમીનના ભાવો ખૂબ ઘટ્યા અને ખૂબ આર્થિક નુકસાન થયું. વડીલ બંધુથી છૂટા થયા. દુકાન પિતે રાખી અને પુરુષાર્થથી ફરી કમાયા, ફરી સ્થિર થયા.
૧૯૪૧માં ભાવનગર પણ દુકાન કરી અને પાલીતાણામાં જૈન સાધુ-સાધ્વીજીના અભ્યાસ માટે શ્રીમતી હરિબાઈ જૈન પાઠશાળા શરૂ કરી, જે બાર વર્ષ પિતાના ખર્ચે જ ચાલુ રાખી હતી.
સાદાઈ, વિશાળ દષ્ટિ, ગુપ્તદાન, ન્યાયપરાયણતા અને સંસ્કારપ્રેમથી તેઓશ્રીએ પિતાનું જીવન એક આદર્શ ગૃહસ્થી તરીકેનું એવી રીતે કેળવ્યું હતું કે તેમાંથી બીજાઓને પણ પ્રેરણા મળે.
જીવનમાં નીચેના સિદ્ધાંતે શક્ય તેટલા પૂરેપૂરા પિતે પાળ્યા છે :
(૧) સંતાનને વારસામાં ફક્ત ધન જ ન આપવું પણ જ્ઞાનસંસ્કાર આપવા અને સ્વાવલંબી બનાવવા.
(૨) કાપડ-અનાજનું ગુપ્તદાન આપવું એ ઉત્તમ છે; પણ વિદ્યાદાન એ ઉત્તમોત્તમ દાન છે.
(૩) દરેક મનુષ્ય સાથેના વ્યવહારમાં ભેદભાવ ન હોવા જોઈએ.
(૪) ધર્મ અને વ્યવહારમાં ભેદભાવ ન હોવા જોઈએ. વ્યવહારમાં ધર્મ છે અને તે રીતે તેનું જીવનમાં પાલન થવું જરૂરી છે. મંદિર મસ્જિદ કે દેવળમાં એક વર્તન, બહાર બીજું તેમ ન હોવું જોઈએ. સત્યનું વર્તન બધાં ક્ષેત્રે જરૂરી છે. ધર્મમાં સત્યનું વર્તન, બહાર અસત્ય વ્યવહાર કરે એ ધાર્મિક અસત્યાચાર નવું પાપ છે.
પિતાની જ્ઞાનશીલતા, ધનશીલતા માટે તેઓ આજે જૈન સમાજમાં વિખ્યાત છે.
મુલુન્ડમાં તપગચ્છ જેને માટે તેઓએ તેમના વડીલ બંધુની સાથેની ભાગીદારી વખતે ૧૯૧૮માં જમીન ૪૦૦૦ વાર જુદી રાખી હતી ત્યાં મંદિર બંધાવ્યું; જેનું ટ્રસ્ટ ૧૯૪રમાં કર્યું અને ૧૯૫૦માં શ્રી વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘની સ્થાપના કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org