________________
અભિવાદનગ્રંથ ].
[ ૪૮૭ હરગોવિંદભાઈને બાળપણથી સારા વાંચનની પ્રીતિ થઈ અને તે છેડા વર્ષો બાદ વૃક્ષમાં પરિણમી. તેઓની જ્ઞાને પાસના ખાંસી વર્ષની વય સુધી અવિરતપણે ચાલુ રહી હતી. તેમનાં માતુશ્રી અત્યંત ધર્મનિક હતાં. એક વખત સામાયિકમાં તેમનાં માતુશ્રી હતાં ત્યારે કાળે નાગ તેમના દેહ ઉપર ફરી ગયે છતાં તેઓ સ્થિર ચિત્તે સામાયિકમાં અડગ રહ્યાં. આ ધર્મપરાયણતા અને સહિષ્ણુતાના ગુણ પણ તેમને વારસામાં મળ્યા હતા.
ચોગઠમાં શ્રી હરગોવિંદદાસભાઈએ સાત ગુજરાતીને અભ્યાસ પૂરો કર્યો અને તેઓના પિતાશ્રીનું અવસાન થયું. તેમના વડીલ બંધુ શ્રી ઝવેરભાઈને શિરે કુટુંબના ભરણપોષણની જવાબદારી આવી અને તેઓને મદદરૂપ થવા પિતે પણ કમાવાની દષ્ટિએ નેકરી માટે મુંબઈ આવ્યા. નોકરી સાથે સાથે રસ્તાના દીવે વાંચનની ભૂખ પણ સંતેષતા હતા. વાંચન ખૂબ જ પ્રિય હતું અને સત્સંગ પણ ચાલું હતે. બે વર્ષ નોકરી કરી અને પૂ. આચાર્યશ્રી અદ્ધિસૂરિના ગુરુ શ્રી મેહનલાલજી મહારાજશ્રીની પ્રેરણાથી અભ્યાસ માટે કાશી (બનારસ) ગયા. ત્યાં ચાર વર્ષમાં અભ્યાસ સંસ્કૃત-પ્રાકૃતને કર્યો અને ફરી દેશમાં (ગડ) ગયા. ત્યાં ધંધે શરૂ કર્યો પણ ફરી મુંબઈ આવ્યા અને વડીલ બંધુ સાથે કરિયાણું ગધિયાણાનું કામ શરૂ કર્યું તેમાં ઠીક ઠીક ફાવટ આવી. હાલ મુલુન્ડ છે તે ગામની બધી જ જમીન ૧૯૧૨ની સાલમાં પિતાના વડીલ બંધુ તથા સ્નેહીની ભાગીદારીમાં ખરીદી અને મુલુંડમાં નાનું મકાન બાંધ્યું અને તે જમાનામાં તે વખતે આ એક જ મકાન અને બીજા નાનાં ઝૂંપડાં હતાં. લાઈટ, પાણી, રસ્તા કશું જ ન હતું. રેલવે સ્ટેશન પણ નહીં. પાટા પાસે ઊભા રહે, હાથ ઊંચો કરે; ગાડી ઊભી રહે તેમ વર્ષો ગયાં. ૧૯૧૩–૧૪માં જમીનમાં પ્લેટ પડ્યા રસ્તાઓના નક્શા કર્યા. ૧૯૧૪નું વિશ્વયુદ્ધ થયું. જમીનના ભાવ વધ્યા, અઢળક કમાયા; પણ વડીલ બંધુની ધર્મભાવનાને કારણે ગૌહત્યા બંધ કરાવવા માટે કતલખાનેથી વડીલ બંધુ રજની ત્રણસોએક ગાયે છોડાવી લાવે તે બધાને નીરણ-નિભાવમાં ખૂબ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WW