________________
અભિવાદનગ્રંથ ]
[ ૪૮૫ પિતાશ્રી વેલજીભાઈ દામોદરભાઈ સોમૈયા જામનગરના દીવાનના કારભારી હતા. અત્યંત શ્રદ્ધાળુ હૈયાના ધર્મપ્રેમી પિતાને સુંદર વાર મળે. સંસ્કાર અને કેળવાયેલા વાતાવરણમાં તેમને ઉછેર થયો. ઈન્ટર આસ સુધી અભ્યાસ કર્યો અને થોડો સમય કામનો અનુભવ લીધે.
૧૯૪૬માં માત્ર વીશ વર્ષની યુવાન વયે કોટન વેસ્ટને પિતાને સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો પણ તેમાં કુદરતે યારી ન આપી. ૧૯૫૦માં અલ્હાબાદ અને લખનૌમાં કાપડની દુકાન શરૂ કરી પણ તેમાં પણ નિરાશા સાંપડી. ક્રમે ક્રમે મને બળ મજબૂત થતું ગયું. પ્રારબ્ધ ઉપર પુરુષાર્થને વિજય પ્રસ્થાપી સંસ્કારસુમનની સૌરભ પ્રસરાવી–જીવનશિલ્પનું નિર્માણ કરતા રહ્યા.
૧૯૫૦ થી ૧૯૬૫ સુધી એસ. ડી. શેઠિયા કમ્પની મુંબઈમાં રહીને પિતાની અણનમ સાધના અને તપશ્ચર્યા કરતાં કરતાં કંપનીના ક્લાર્કમાંથી મેનેજિંગ ડીરેકટર સુધી પહોંચી શક્યા છે તેમની તેજસ્વી બુદ્ધિશક્તિને પરિચય કરાવે છે. મીઠાની નિકાસ સંબંધે ભારત સરકારના પ્રતિનિધિમંડળના એક સભ્ય તરીકે ચાર વખત જાપાનની મુલાકાત લીધી અને તે પછી મીઠાના એક્ષપિટ માટે બ્રાઝિલની પણ મુલાકાત લીધી હતી.
૧૯૬૫માં એસ. ડી. શેઠિયા કમ્પનીમાંથી છૂટા થઈ કેલનું વિશાળ ઉત્પાદન કરતી મેસર્સ કે. વેરા એન્ડ કું.ની ભાગીદારીમાં વિવિધ ઉદ્યોગમાં કેલ એન્ડ કોક સપ્લાય કરવાના હેતુથી ઈસ્ટર્ન એસેસિયેટેડ કોલ કર્યોની શરૂઆત કરી. સાથે સાથે એસિયેટેડ કેમિકલ-સિન્ડીકેટના માલિક છે.
ઔદ્યોગિક વિકાસ અને પ્રગતિની સાથે સમાજસેવાને ક્ષેત્રે તેમને ઘણે યશસ્વી ફળ રહ્યો છે. તેઓશ્રી ઉત્તર મુંબઈ જુનિયર ચેમ્બર ઓફ કોમર્સના ટ્રેઝરર તરીકે, મેટુર સોશ્યલ વર્કસ એસેસિયેશનના પ્રમુખ તરીકે અનેક ટ્રસ્ટના ટ્રસ્ટી અને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે, એસોસિયેશન ઓફ ઇન્ડિયાના સલાહકાર તેમ જ ટ્રેડ અને છે. ૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org