________________
૪૮ ]
[ આપણું શ્રેણીવેર્યો તથા શિષ્યવૃત્તિઓ દ્વારા મદદરૂપ થતા રહ્યા છે. લાયન્સ કલબ ઓડ તરફથી તેમને સારું એવું માનપત્ર મળ્યું હતું.
ભરોડા હાઈસ્કૂલને રજત જયંતી મહત્સવ તેમના અધ્યક્ષપદે ઊજવાયું હતું. ભંડારી જિલ્લાના ચિરચાડબાંધ ગામે હરિહરભાઈને નામે હાઈસ્કૂલ ચાલે છે. અદાસીમા ગામે પણ તેમના નામે હાઈસ્કૂલ ચાલે છે. સની ગામમાં પણ શ્રી મણિભાઈ ઈશ્વરભાઈ પટેલને નામે હાઈસ્કૂલ ચાલે છે. યુવા કોંગ્રેસ, ગેદિયાના અધ્યક્ષપદે વર્ષો સુધી રહ્યા છે. જિલ્લા કોંગ્રેસના સક્રિય સદસ્ય રહેલા છે. તેમનાં માતુશ્રી ગં. સ્વ. પૂજ્ય ચંચળબેન મણિભાઈ પટેલના પુણ્ય સ્મરણાર્થે તેઓ બધા ભાઈઓએ ગામ એડને આશીર્વાદ નામે વાડી બાંધી આપી ગામલેકે અને આસપાસની જનતા માટે ખરેખર આશીર્વાદ રૂપ કામ કર્યું છે. ગુજરાતી કેળવણી મંડળ ગોંદિયામાં વાઈસ પ્રેસિડેન્ટ તથા ટ્રસ્ટી; રેલવે એડવાઈઝરી બોર્ડના સદસ્ય અને બજરંગ વ્યાયામશાળાના છેલ્લાં વશ વર્ષથી પ્રમુખ છે. આમ સમાજજીવનનાં તમામ ક્ષેત્રે તેઓ મોખરે રહ્યા છે અને પ્રત્યેક સમાજના નાનામોટા પ્રસંગો અને ઉત્સવમાં આગેવાનીભર્યો ભાગ લીધો છે. પરમાત્મા તેમને લાંબું આયુષ્ય બક્ષે તેવી શુભેચ્છા.
શ્રી હરજીવનભાઈ વેલજીભાઈ સોમૈયા
માનવીની મહત્તા એમની પાસે કેટલાં ધન-વૈભવ કે સુખસમૃદ્ધિ છે તેના ઉપરથી નથી અંકાતી પણ તેમણે સમાજસેવાને ક્ષેત્રે એમનું કેવું પ્રદાન રહ્યું છે, શિક્ષણ, સાહિત્ય કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં તેમની ધન-સંપત્તિને કેક સદુઉપગ થયે છે તેના ઉપરથી જ માનવ જીવનનું અને તેના ઉચ્ચતમ આદર્શોનું મૂલ્ય અંકાય છે.
શ્રદ્ધા, શ્રમ અને પિતાની અજોડ કાર્યશક્તિથી ઉજવળ કારકિદી દ્વારા સિદ્ધિનાં પાન સર કરનાર શ્રી હરજીવનભાઈને જન્મ ૧૯૨૬ના મે માસની ૨૭ મી તારીખે જામનગરમાં થ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org