________________
અભિવાદન થ]
[૪૮૩ શ્રી હરિહરભાઈ પટેલ મૂળ ગુજરાતના ચરોતરના ગામ એડના ગૌરવશાળી રત્ન ગણાયા છે; પણ આજે ગોંદિયાના ગુંગળાતા જનજીવનમાં નૂતન પ્રકાશ અને પ્રેરણું પાથરતા રહ્યા છે.
પાટીદાર પરિવારમાં એમને જન્મ થયો એ હતી ૧૯૩૪ ના એપ્રિલ મહિનાની તેવીસમી તારીખ. સંસ્કારી વાતાવરણમાં તેમનું લાલનપાલન થયું. મંગલ ધર્મને વારસે મળે.
શ્રી હરિહરભાઈ ઇન્ટર આસ સુધીનો અભ્યાસ પછી ગોંદિયામાં વડીલોએ સ્થાપેલા બીડીપત્તાના ઉદ્યોગમાં સામેલ થયા. ઔદ્યોગિક ક્ષેત્રે ગોંદિયાની મણિભાઈ ચતુરભાઈ પટેલ એન્ડ કું. એ બીડીના ઉદ્યોગમાં શ્રેષ્ઠ કીર્તિ સંપાદન કરેલી છે. આ પેઢીની શાખાઓ બંગાળ, બિહાર સુધી વિસ્તરેલી છે. બીડી-ઉદ્યોગ પેઢીના તેઓ એક ભાગીદાર છે.
ઔદ્યોગિક પ્રગતિ અને વિકાસની સાથે સાથે સમાજસેવાની વર્ષો જૂની તેમની ભાવનાને પણ બળ મળ્યું અને જનસમૂહમાં તેમનું વ્યક્તિત્વ ખીલી ઊઠયું. સ્વભાવે નિર્દોષ અને નિસ્વાર્થ ભાવનાને કારણે સૌના પ્રીતિપાત્ર બની ગયા અને પ્રકાશમાં આવ્યા. ગોંદિયાની મહાનગરપાલિકામાં સાત વર્ષ મેમ્બર તરીકે અને પછી ત્રણ વર્ષ સુધી અધ્યક્ષપદે રહેલા. મગરીમાં મેસર્સ ચતુરભાઈ ભાઈલાલભાઈ પટેલ એન્ડ કુ.માં તેમના પિતાશ્રી ભાગીદાર હતા. કાળાંતરે કમ્પનીમાં વિભાજન થવાથી બીડી નં. ૩૦૩ બ્રાન્ડ તેમને હિસ્સામાં મળી. આજે આ ધંધામાં તેમની પેઢી ટોચનું સ્થાન ધરાવે છે.
ધંધાકીય પ્રવૃત્તિઓમાં જેટલો રસ એટલે જ બલ્ક વિશેષ સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ઈતર પ્રવૃત્તિમાં રસ લેતા રડીને સમાજસેવાને ક્ષેત્રે યશસ્વી પ્રદાન અર્પણ કરી રહ્યા છે. તેમના પ્રયત્ન અને ટેકાથી વર્તમાનમાં શેઠશ્રી પ્રફુલ્લભાઈ મનેરભાઈ પટેલ નગરપાલિકા ગાંદિયાના અધ્યક્ષપદે વરાયેલા છે. તેઓએ થાપેલી બુક બેન્ક પ્રવૃત્તિમાં પ૦૦થી વધુ બાળકને પુસ્તક મદદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org